સુરતઃ ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના એક પછી એક પરિણામો સામે આવી રહ્યા છે, ત્યારે સુરતમાં માંગરોળ ખાતે મતગણતરી સમયે જ મધમાખીનો હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. મતગણતરી દરમ્યાન મધમાખીઓએ હુમલો કરતાં ભાગદોડ મચી ગઈ હતી.


મધમાખીઓ હુમલો કરતાં ઉમેદવારોના સમર્થકોમાં ભાગદોડ મચી ગઈ હતી. માંગરોળ બજારમાં આ ઘટના બની હતી.