ગુજરાત સરકારે દિવાળી સુધી શાળાઓ નહીં શરૂ કરવાનો નિર્ણય લીધો છે, ત્યારે એબીપી અસ્મિતાએ સુરત અને વડોદરાના વાલીઓ સાથે આ અંગે વાત કરી હતી. સુરતના વાલીઓએ વેક્સીન વગર દિવાળી બાદ પણ સ્કૂલે બાળકોને નહીં મોકલીએ. વેક્સીન હશે તો જ બાળકોને સ્કૂલે મોકલીશું, તેમ સુરતના વાલીઓએ જણાવ્યું હતું.
હાલ વિદેશમાં કેસો ઓછા છે એટલે સ્કૂલો ચાલુ થઈ છે. ગુજરાતમાં કેસોની સંખ્યા ઘટી નથી એટલે હજી ડર છે. વડોદરાના વાલીઓ પણ શાળા શરૂ થાય તોય શાળાએ મોકલવા તૈયાર નથી. બાળકોના સ્વાસ્થ્ય માટે વાલીઓ ચિંતિત છે. એક જ વર્ષમાં બાળકો વકીલ, ડોક્ટર કે પીએચડી થવાના નથી તો શા માટે કોરોના સંક્રમણમાં બાળકોને ધકેલવા તેઓ વડોદરાના વાલીઓનો મત છે. ખાનગી શાળાઓની ફી ઉઘરાણી માટેનો કારસો હોવાનું વાલીઓ માની રહ્યા છે. હજુ સુધી કોરોનાની રસી શોધાઈ નથી ત્યારે બાળકોનું રિસ્ક સરકાર ન લે, તેમ વાલીઓ જણાવી રહ્યા છે.