Surat News: ડાયમંડ નગરી સુરતમાં હાર્ટએટેકની ઘટના યથાવત છે. વધુ  2 લોકોના હાર્ટએટેકથી મોત થયા છે. સચિન જીઆઇડીસી માં 36 વર્ષીય આબીદાખાતુંન નામની મહિલા અને કામરેજના 40 વર્ષીય સુશાંત નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે. બંને લોકો કોઈને પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. અચાનક છાતીમાં દુઃખાવો થયા બાદ મોત નિપજતાં પરીવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી હતી.


કોરોનાકાળ બાદ સતત નાની વયે હાર્ટ અટેક અને હાર્ટ અટેકથી મોતની સંખ્યા વધી રહી છે.રાજ્યમાં છેલ્લા   24 કલાકમાં નાની વયે હાર્ટ અટેકથી જીવ ગુમારની સંખ્યા 11એ પહોંચી છે. નવરાત્રિ દરમિયાન છેલ્લા 24 કલાકમાં ગરબે ઘૂમતા 4 લોકના મોત થયા છે તો અન્ય 7 યુવકોના હાર્ટ અટેકથી મોત થયા છે. રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકથી મોતની વધતી જતી સંખ્યાએ ચિંતા જગાડી છે. 



આઠ મહિનામાં અમદાવાદની શારદાબેન અને LG હોસ્પિટલમાં હૃદયરોગના ચાર હજાર 377 દર્દી નોંધાયા.જેમાં 156 લોકોએ જીવ ગુમાવ્યો છે.માર્ચ અને એપ્રિલ મહિનામાં વધુ કેસ નોંધાયા હતા. મૃત્યુની વાત કરીએ તો  જૂન અને જુલાઈ મહિનામાં નોંધાયેલા હાર્ટ અટેકના કેસમાં મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળ્યું.


અમદાવાદના હાથીજણમાં  ગરબે ઘૂમતા યુવકનું હાર્ટ અટેકના કારણે  મોત નિપજ્યુ હતું.અમદાવાદમાં નાની વયે હાર્ટ અટેકથી વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે અમદાવાદના હાથીજણના પાર્ટી પ્લોટમાં રમતા 28 વર્ષિય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. યુવકને હોસ્પિટલ લઇ જાય તે પહેલા જ મોત થયું છે. યુવકને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તે ઢળી પડ્યો હતો, યુવકને તાબડતોડ હોસ્પિટલમાં પહોંચાડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જો કે સારવાર મળે પહેલા  જ દુર્ભાગ્યવશ તેમનું મોત થયું હતું.


વડોદરામાં છેલ્લા 24 કલાકમાં હાર્ટઅટેકથી 2નાં મોત


વડોદરા શહેરમાં છેલ્લા  24 કલાક માં બે વ્યકિઓના  હાર્ટ એટેકથી મોત થયા છે. વડોદરામાં માંજલપુર વિસ્તારમાં રહેતા 35 વર્ષિય જગદીશ પરમારનું હાર્ટ એટેકથી મોત થયું છે. જગદીશ પરમાર રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા હતા.ચાલુ રિક્ષામાં હાર્ટ એટેક આવતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે.


તો બીજી તરફ વડોદરામાં જ હરણી વિસ્તારમાં રહેતા શંકર રાણાનું હાર્ટ એટેકથી મોત થયું છે. શંકર રાણા ગરબાની મોજ માણી રહ્યા હતા દરમિયાન ગરબે ઘૂમતા તે અચાનક ઢળી પડ્યાં હતા. તેમની સ્થિતિને જોતા તાબડતોબ તેમને બેભાન અવસ્થામાં હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતા. જો કે દુર્ભાગ્યવશ તેમને બચાવી ન શકાયા. ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા.