સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક પરિપત્ર જાહેર કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતો કે, સુરતમાં 4 કરતાં વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે અને સરઘસ કાઢવા કે એકઠા થવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ જાહેરનામું 30 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી લાગુ રહેશે.
કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિને જોતાં આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરવાનગી સિવાય જાહેર જગ્યા ઉપર ચાર કે ચાર કરતા વધારે માણસોએ ભેગા થવું નહીં તેમજ કોઈ સભા ભરવી કે બોલાવવી નહીં. કોઈ પણ જાતની સભા-સરઘસ કાઢવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.