સુરતઃ ગુજરાત સરકારે 15 નવેમ્બરથી સુરત અને મુંબઈ વચ્ચે ક્રૂઝની સર્વિસ શરૂ કરી છે. ક્રૂઝની આ સેવા સુરતથી મુંબઈના બાંદ્રા-વર્લી સી લિંક સુધી રહેશે. શુક્રવારે સુરતના એસ્સાર જેટીથી આ ક્રૂઝની સર્વિસને ફ્લેગ ઓફ આપવામાં આવ્યું હતું. ક્રૂઝમાં 20 એસી રૂમ, રેસ્ટોરન્ટ, પાર્ટી હોલ, સ્લીપિંગ એરેન્જમેન્ટ અને મનોરંજનની સેવા આપવામાં આવી છે.
સુરત-મુંબઈ વચ્ચે ‘મુંબઈ મેઈડન’ નામની ક્રૂઝ સેવાનો શરૂઆતના ધોરણે અઠવાડિયામાં એક વખત લાભ આપવામાં આવશે. ફેરી સર્વિસ દર ગુરૂવારે બાંદ્રા-વર્લી સી લિંકથી સાંજે 5 વાગ્યે નીકળશે અને શુક્રવારે સવારે 9 વાગ્યે હજીરા જેટી પહોંચશે. જે ફરી મુંબઈ જવા શુક્રવારે સાંજે 5 વાગ્યે રવાના થશે અને શનિવારે સવારે 9 વાગ્યે મુંબઈ પહોંચશે.


ક્રૂઝમાં 20 એસી રૂમ, રેસ્ટોરન્ટ, પાર્ટી હોલ, સ્લીપિંગ એરેન્જમેન્ટ અને મનોરંજનની સેવા આપવામાં આવી છે. ક્રૂઝમાં ટૂ લેવલ અને અપરડેક મળી 3 ડેકની સુવિધા પ્રવાસીઓને મજા લઈ શકશે.

ઈન્ડિયન અને કોન્ટિનેન્ટલ ફૂડની પણ મજા માણી શકાશે. હાલ 200 વ્યક્તિઓની ક્ષમતાવાળી ક્રૂઝનું ભાડું 3થી 5 હજારની વચ્ચે રાખવામાં આવ્યું છે તેવું સ્થાનિકોમાં ચર્ચા છે.