સુરતઃ ગુજરાતીઓએ વિદેશ ક્રુઝની મજા માણવી હશે તો હવે વિદેશ બહાર નહીં જવું પડે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હજીરાથી બાન્દ્રા વચ્ચે પેસેન્જર ફેરી સર્વિસ શરૂ કરવાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ જહાજમાં વિદેશી ક્રુઝ જેવી તમામ સુવિધાઓ હશે.




આ ફેરી સર્વિસ આગામી નવેમ્બરથી કાર્યરત થઇ જશે. આ ફેરી દર ગુરુવારે સાંજે 7 કલાકે બાન્દ્રાથી નીકળી શુક્રવારે સવારે 9 વાગ્યે હજીરા પહોંચશે. પરત મુસાફરીમાં શુક્રવારે સાંજે 6 કલાકે હજીરાથી રવાના થઇને શનિવારે સવારે 8 કલાકે બાન્દ્રા પહોંચશે.



હજીરા-બાન્દ્રા વચ્ચે 300 મુસાફરોની ક્ષમતા ધરાવતું આ જહાજ દોડશે તેમાં વિદેશી ક્રૂઝ જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવાશે. આ શિપ જહાજ 20 રૂમની સુવિધા સાથે ફુલ્લી એરકંડિશન્ડ હશે. તેના કારણે મુસાફરોને વિદેશી વાતાવરણમાં થતા ફેરફારના કારણે તકલીફ નહીં પડે.

આ હોટ અભિનેત્રીને ટોચના ડિરેક્ટરે કહ્યું, મારી ફિલ્મોમાં લઈશ પણ મારી સાથે સેક્સ માણવું પડશે.....

ભાવનગરઃ 20 વર્ષનો યુવક 42 વર્ષની મહિલાને નિર્જન જગાએ લઈ ગયો ને શારીરિક સંબંધો માણ્યા.....

બુમરાહની હેટ્રિકમાં કોહલીએ ભજવ્યો કી રોલ, જાણો કેવી રીતે