નર્મદાઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થી રહ્યો છે, ત્યારે રાજ્યમાં અમરેલી એક જ જિલ્લો એવી છે, જ્યાં આજ દિવસ એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. આ સિવાય કેટલાક જિલ્લાઓ એવા છે, જેમણે કોરોનાને મ્હાત આપી છે. આજે આપણે આવા જ એક જિલ્લાની વાત કરી રહ્યા છે.


દક્ષિણ ગુજરાતમાં આવેલા નર્મદા જિલ્લામાં કોરોનાના 12 કેસો નોંધાયા હતા. જોકે, 17 દિવસ પહેલા આ તમામ દર્દીઓ એક-પછી એક સાજા થઈ જતાં કોરોનામુક્ત બન્યો છે. તેમજ છેલ્લા 17 દિવસથી એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. નર્મદા જિલ્લો હાલ ઓરેન્જ ઝોનમાં છે તે હવે ગ્રીન ઝોન તરફ જઈ રહ્યો છે. સરકારની ગાઈડલાઈન મુજબ ગ્રીન ઝોન માટે જો છેલ્લો પોઝિટિવ બન્યો હોય તેના પછી 21 દિવસ સુધી કોઈ પણ પોઝિટિવ કેસ ન આવે તો ગ્રીન ઝોનમાં જિલ્લો જઈ શકે છે.