ભરૂચઃ લુવારા ગામ નજીક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 20 લકો ઘાયલ થયા છે. નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત થયો હતો. ૭ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોમાં ઘાયલોને હોસ્પિટલ ખસેડવાાં આવ્યા છે. બસ સુરતથી અમદાવાદ જતી હતી, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


મૃતકોના નામ

1 .જસુબેન મગનભાઈ ચાવડા
2. મનીષ ભાઈ
3 . પ્રકાશ ભાઈ