તાપીઃ વ્યારા બાજીપૂરા નેશનલ હાઇવે નંબર 53 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 3ને સુરત જ્યારે 4 ને વ્યારા સિવિલ ખસેડાયા છે.


માલેગાંવથી સુરત જાન લઈને જતી તાજ ટ્રાવેલની ખાનગી બસને અકસ્માત નડ્યો છે. ટેન્કરની પછાડી ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.