સુરત: ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં કોરોના મહામારીનો વિસ્ફોટ થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 176 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સંખ્યા અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા કેસમાં સૌથી વધુ છે. કોરોના સંક્રમણના કારણે વધુ 3 દર્દીઓના મોત થયા છે.


ગુજરાતમાં આજે કોરોનાના નવા 580 નવા કેસ નોંધાયા છે. સુરતમાં આજે નવા 176 કેસ નોંધાયા છે. સુરતમાં આજે કોરોનાના કારણે 3 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે 655 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. સુરતમાં 131 દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ છે.

રાજ્યમાં કોરોના સંક્રમિતનો આંક 27317 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક 1664 થયો છે. આજ સુધીમાં કુલ 19359 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.