સુરત : સુમુલના ડિરેક્ટર અજિત પટેલનો મહિલા સાથેના અશ્લીલ વિડીયો વાયરલ પ્રકરણ મામલે ભાજપે પગલા ભર્યા છે. સુમુલના ડિરેક્ટર અને બારડોલી તા.પં.ના શાસક પક્ષના નેતા અજિત પટેલને ભાજપે સસ્પેન્ડ કર્યા છે. નારાજ પાર્ટી હાઈકમાન્ડે અજિત પટેલને પ્રાથમિક સભ્ય અને સક્રિય સભ્ય પદેથી પાણીચું પકડાવ્યું છે. ખરવાસા દૂધમંડળી જો પ્રતિનિધિત્વ રદ કરશે તો સુમુલનું ડિરેક્ટર પદ પણ અજિત પટેલ ગુમાવશે.




Surat Crime : યુવકના માથામાં ચપ્પુના ઘા મારી હત્યા, બે યુવતી સહિત 4ને પોલીસે ઝડપી હાથ ધરી પૂછપરછ


Surat Crime : સુરતના પુના વિસ્તારમાં આઈમાતા ચોકડી પાસે યુવકની હત્યા કરીને લાશ મૂકી જવાના કિસ્સામાં મોટો ખુલાસો થયો છે. યુવકના માથામાં ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. હત્યા પછી આરોપીએ યુવકની લાશ પુના વિસ્તારમાં પીકઅપ વાનમાં મૂકીને ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવીને આધારે 2 મહિલા અને 2 પુરુષની અટકાયત કરી લીધી છે અને તેમની પૂછપરછ શરૂ કરી દીધી છે. પૂછપરછ પછી હત્યા મામલે વધુ ખુલાસા થઈ શકે છે. 


આ અંગેની વધુ વિગતો એવી છે કે, મહિપાલ આહીર નામના યુવકને માથામાં ચપ્પુના ઘા મારીને હત્યા કર્યા પછી પીકઅપ વાનમાં બે યુવતી સહિત ચાર શખ્સો  સુરતના  પુના વિસ્તારના આઇમાતા ચોકડી પાસે આવેલ ક્રોસ રોડ રેસ્ટોરન્ટ પાસે પીકઅપ વાનમાં મૃતદેહ લાવી રસ્તા પર છોડી સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પુના પોલીસ  ઘટના સ્થળ પર આવી તપાસ શરૂ કરી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતકના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા.


પુણા પોલીસે મહિપાલ આહીરની લાશ મૂકી ફરાર મામલામા અજાણ્યા ઈસમો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચને  સફળતા મળી છે. સીસીટીવીમાં દેખાતા 4 જણાની અટકાયત કરી છે. હત્યા શેના માટે કરી કયા કારણો સર કરી તે જાણવા આરોપીની પૂછતાછ શરૂ કરી છે. મૃત નું નામ મહિપાલ આહીર છે. ગોડાદરા ધ્રુવપાર્ક સોસાયટીનો રહેવાસી છે અને રીક્ષા ચલાવતો હતો.


CRIME NEWS: વડોદરામાં MS યુનિવર્સિટીના વિદ્યાર્થીની લાશ મળી આવતા ચકચાર


વડોદરા: શહેરમાં યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. યુવકની હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. મૃતદેહ માંજલપુરના દક્ષ પટેલનો હોવાની માહિતી સામે આવી છે. સયાજીગંજના પાર્કિંગમાં હાથ પગ બાંધેલી હાલતમાં લાશ મળી આવી છે. એમ.એસ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે. આ અંગે સયાજીગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 


યુવાને સગીરાના ગળા પર મૂકી છરી


કોરોનાકાળના બે વર્ષ બાદ ચાલુ વર્ષે રાજ્યમાં ગરબાના મોટા પાયે આયોજન થયા છે. જોકે આ વખતે ગરબામાં માથાકૂટની ઘટનાઓ પણ આવી છે. આ દરમિયાન ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગરબા ગ્રાઉન્ડ પર એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવાને સગીરાના ગળા પર ચપ્પું મૂક્યું હતું. પાગલ પ્રેમીએ સગીરાને બાથમાં લઇ ગળા ઉપર ચપ્પું મૂકી તું મારી જોડે નથી બોલતી એટલે જાનથી મારી નાંખીશ કહી બાનમાં લીધી હતી. આ સમયે સગીરાને છોડાવવા પડેલા ઉપર પણ યુવકે હુમલો કર્યો હતો. સગીરાને ચપ્પુના ઘા વાગતાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.


વાઘોડિયાના જરોદમા યુવાન પર ખંજરથી હુમલો કરી ઢીમ ઢાળી દીધું


વાઘોડિયાનાં જરોદમાં એકજ સમાજના લોકો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મામલો વણસ્યો હતો. ગત રાત્રે વહાણવટી માતાજીના મંદિરે જ્વારા બાબતે બોલાચાલી થઈ હતી. જે બાદ મામલતો બીચકતાં યુવાન પર ખંજરથી હુમલો કરીને ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. અર્જુન ભાલીયા (ઉ.વ.25) નામના યુવાનપર અન્ય યુવાને ખંજરથી હુમલો કર્યો હતો. ખંજરના તીક્ષ્ણ ઘાથી યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. યુવાનની હત્યા બાદ શખ્સો ફરાર થઈ ગયા હતા. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.