સુરત : કોઝવેની રેલિંગ પર સેલ્ફી લેવા જતા તરુણ નદીમાં પડ્યો હતો. જોકે ,પાણીમાં પડતા તરવૈયાએ બચાવી લીધો હતો. આ રેસ્ક્યૂનો લાઇવ વીડિયો પણ સામે આવ્યો છે. નોંદનીય છે કે, કોઝવેમાં દરોજ સવારે લોકો મોટા પ્રમાણમાં તરવા જતા હોય છે. કોઝવે પર પાલિકા દ્વારા લોખંડની ગ્રીલ કાઢી લાકડાના બમ્બુ નાખવામાં આવ્યા છે. 


રાંદેર અને સિંગણપોરને જોડતા કોઝવેની રેલિંગ પર સેલ્ફી લેવા જતાં છોકરાએ સંતુલન ગુમાવતાં નદીમાં પડી ગયો હતો. ગઈ કાલે સવારે 9 વાગ્યા આસપાસ રાંદેરના મિત્રો અહીં ફરવા આવ્યા હતા. દરમિયાન કોઝવે પર સેલ્ફી લઇ રહ્યા હતા એ સમયે આ છોકરો રેલિંગ ક્રોસ કરી નદીની એકદમ નજીકથી સેલ્ફી લેવા પ્રયાસ કરી રહ્યો હતો. અહીં તેનો પગ લપસી જતાં નદીમાં પડ્યો હતો. તરતા ન આવડવાને લીધે તે ડૂબવા લાગ્યો હતો.


છોકરો ડૂબવા લાગતા તેના મિત્રોએ બૂમાબૂમ કરી મૂકી હતી. આ સમયે કોઝવે પર નિયમિત તરવા જતા એક વ્યક્તિ તરત જ કોઝવેમાં કૂદી પડ્યા હતા અને તેમણે ડૂબી રહેલા તરુણને બહાર કાઢયો હતો. દુર્ઘટના સ્થળે અનેક લોકો આ ઘટનાને જોઇ રહ્યા હતા ત્યારે કેટલાકે તેમના કેમેરામાં ઘટનાનું રેકોર્ડિંગ કરી લીધી હતું. આ લાઇવ રેસ્ક્યૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. 

ગુજરાતના આ જાણીતા આંદોલનકારી AAPમાં જોડાશે એવી ચર્ચા, સુરતમાં મનિષ સિસોદીયા સાથે થઈ મુલાકાત


સુરતઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સક્રીય થઈ ગઈ છે. એક પછી એક મોટા નેતાઓ પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. ગઈ કાલે પાટીદાર નેતા મહેશ સવાણી આપમાં જોડાયા હતા. તેઓ દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ઉપસ્થિતિમાં આપમાં જોડાયા હતા. ત્યારે હવે વધુ એક યુવા આંદોલનકારી આપમાં જોડાવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. આ નેતાએ ગઈ કાલે સુરતમાં સિસોદિયા સાથે મુલાકાત કર્યા પછી આ ચર્ચાએ જોર પકડ્યું છે. 


જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ અને આંદોલન કારી પ્રવીણ રામે ગઈ કાલે મનિષ સિસોદિયા સાથે મુલાકાત કરી હતી. પ્રવીણ રામે તેમના સોશિયલ મીડિયા પેજ પર આ અંગે જાતે માહિતી આપી છે અને તેમની સાથેની તસવીરો પણ શેર કરી છે. તેમણે જણાવ્યું છે કે, આજ રોજ સુરત ખાતે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને શિક્ષણ ક્રાંતિના જનક મનીષ સિસોદિયાજી સાથે શુભેચ્છા મુલાકાત લીધી. માનનીય કેજરીવાલજીના નેતૃત્વમાં દિલ્હી સરકારમાં પ્રજાહિત માટે ચાલતા કાર્યોની વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી. દિલ્હી સરકારના પ્રજાહિત માટેના કાર્યો તેમજ માનનીય અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયાજીના પ્રજાહિત માટેના વિચારો જાણીને ખુબ જ આનંદ થયો. આ મિટિંગમાં ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ, આપ નેતા ઇસુદાનભાઈ ગઢવી, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા, પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયા અને અન્ય જવાબદાર આગેવાનો પણ હાજર રહ્યા.


આમ આદમી પાર્ટી (આપ)ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને સોમનાથ મંદિરની બહાર ધક્કે ચડાવ્યાનો મામલો સામે આવ્યો છે. ગોપાલ ઇટાલિયા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા પહોંચ્યા છે. ભાજપ પ્રેરીત લોકોએ હુમલો કર્યાનો ગોપાલ ઇટાલિયાનો દાવો છે. 


આપના ઇસુદાન અને ગોપાલ ઇટાલીયા સોમનાથ દર્શને  પહોંચ્યા હતા. ગોપાલ ઇટાલીયાનો સમસ્ત બ્રહ્મ સમાજ અને હિંદુ સંગઠનો દ્વારા વિરોધ દર્શાવાયો હતો. મંદિર પરિસરમાં ગોપાલ ઈટાલિયા પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.