1 મહિના પહેલા તાવ, શરદી અને ખાંસી હોવાથી હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યારબાદ ઓક્સિજન લેવલ ઘટી જવાથી આઈસીયુમાં હતા. છેલ્લા દસ દિવસથી વેન્ટિલેટર પર હતા, તેઓને પ્લાઝમા થેરાપી પણ આપવામાં આવી હતી. સુનિલ નિમાવતે સેન્ટરમાં પણ ફરજ બજાવી હતી. તેમજ આ કોરોના પોઝિટિવમાં ફરજ બજાવી હતી.
તેમજ બીજા રાઉન્ડમાં સ્ટેમ સેલ બિલ્ડિંગમાં પોઝિટિવ વોર્ડમાં ફરજ પર હતા. ચાર દિવસ બાદ તેઓને અચાનક તાવ, શરદી અને ખાંસી થતા દાખલ કરવામાં આવ્યા હતા. નર્સિંગ એસોસિએશન ઘેરા દુઃખની લાગણી અનુભવે છે. હાલ યુનિક હોસ્પિટલ ખાતે નર્સિંગ પરિવારના સદસ્યો અને તેમના પરિવારજનો ૧૦.૩૦ કલાકે અંતિમ વિદાય આપશે.