સુરતની કઈ સોસાયટીમાં કોરોનાના કેસો આવતાં ગરબા કરી દેવાયા બંધ? મનપાએ મારી દીધું સીલ

પાલનપોરની રહેણાંક સોસાયટીમાં કોરોના કેસ મળતા નવરાત્રી બંધ કરાવાઈ છે. મનપાએ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી તેનો અમલ કરવા પોલીસને જાણ કરી હતી. જોકે, લોકોએ અન્ય વિંગમાં નવરાત્રી ચાલુ રાખવા માંગ કરી હતી. 

Continues below advertisement

સુરતઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતાં આ વખતે શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે. સરકાર દ્વારા 400 લોકોની મર્યાદામાં કોરોનાની ગાઇડલાઇન સાથે ગરબા રમવાની મંજૂરી આપી છે. જોકે, સુરત કોર્પોરેશન દ્વારા જે વિસ્તારોમાં કોરોનાના કેસો આવ્યા છે, ત્યાં ગરબા રમવાની મંજૂરી આપી નથી. ત્યારે સુરતમાં પાલનપોરની રહેણાંક સોસાયટીમાં કોરોના કેસ મળતા નવરાત્રી બંધ કરાવાઈ છે. મનપાએ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી તેનો અમલ કરવા પોલીસને જાણ કરી હતી. જોકે, લોકોએ અન્ય વિંગમાં નવરાત્રી ચાલુ રાખવા માંગ કરી હતી. 

Continues below advertisement

ગુજરાતમાં કોરોનાના નવા 21  કેસ નોંધાયા છે. તો બીજી તરફ  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,890 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ  મોત થયું નથી જે રાહતના સમાચાર છે.   આજે  3,74,745 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 186 કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 178 નાગરિકો સ્ટેબલ છે. 8,15,890 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10086 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં 6, નવસારી 3, સુરત 3, જૂનાગઢ 2,  સુરત કોર્પોરેશનમાં 2, ખેડા 2, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરા 1, વડોદારા કોર્પોરેશન 1 અને વલસાડમાં 1  કેસ નોંધાયો છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 20 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 4829  નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 34777 નાગરિકોને રસીનો પ્રથમ અને 73156 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 106631 નાગરિકોને રસીનો પ્રથમ અને 155332 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,74,745 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,54,01,063 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

અમદવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર,  જામનગર કોર્પોરેશન,  જૂનાગઢ કોર્પોરેશન,  કચ્છ, મહીસાગર, મહેસાણા,  મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને તાપીમાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.

 
Continues below advertisement
Sponsored Links by Taboola