સુરતઃ શહેરમાં કોરોના વેક્સિનેશન ઝડપી બનાવવા  મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ મોટી જાહેરાત કરી છે. ફૂલ વેકસીનેટેડ કોલેજને ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે. ફુલ્લી વેકસીનેટેડ પ્રથમ 3 કોલેજને ઇનામની રાશિ આપવામાં આવશે. જે કોલેજ પ્રથમ ક્રમે ફુલ્લિ વેકસીનેટેડ થશે તેને 1 લાખનું ઇનામ આપવામાં આવશે. 


બીજા ક્રમે આવનાર કોલેજને 75 હજાર રૂપિયા ઇનામ અપાશે અને ત્રીજા ક્રમે આવનાર કોલેજ ને 50 હજાર રૂપિયા ઇનામ આપવામાં આવશે. કોલેજોમાં વેકસીનેશન બાબતે ઈનામની પણ જાહેરાત કરવામાં આવી છે. કોરોના અને ઓમિક્રોનને વકરતો અટકાવવા કોર્પોરેશન એલર્ટ છે.


સુરત શહેરના એન્ટ્રી પોઇન્ટ પર સઘન ચેકીંગ થઈ રહ્યું છે. સાથે જ હર ઘર દસ્તક કરીને વેકસીનેશન પર પણ ફોકસ કરવામાં આવી રહ્યું છે. શાળાઓમાં કોરોના સંક્રમણ રોકવા સુરક્ષા કવચ સમિતિ બનાવવામાં આવી છે. હાલ કોરોનાનું સંક્રમણ અટકાવવા વેકસીનેશન જ એકમાત્ર ઉપાય.


સુરતઃ ગુજરાતમાં ફરી એકવાર સ્કૂલો રાબેતા મુજબ શરૂ થયા પછી વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બની રહ્યા છે. સુરતમાં ધોરણ 1માં અભ્યાસ કરતા બે બાળકો કોરોના પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થઈ ગયું છે.  


ડુમસ સ્થિત DPS સ્કૂલના બે વિદ્યાર્થીને કોરોના થયો છે. વેસુમાં રેહતા ગુપ્તા પરિવારના બંને બાળકો પોઝિટીવ આવ્યા છે. 7 દિવસ માટે DPS સ્કૂલનો વર્ગ બંધ કરી દેવાયા છે. બંને એક જ પરિવારના અને છે ભાઈ બહેન.


અમદાવાદમાં વિદ્યાર્થીઓ માટે ચીંતાજનક સમાચાર સામે આવ્યા છે. નિરમા વિદ્યા વિહાર અને ઉદગમ સ્કુલમાં કોરોનાનો પગ પેસારો થયો છે. નિરમા વિદ્યા વિહારમાં ૩ વિદ્યાર્થી અને ઉદગમમા એક વિદ્યાર્થીના કોરોના પોઝીટીવ આવ્યા છે. નિરમા વિદ્યા વિહારમા પ્રાઈમરી અને બે માધ્યમિકના વિદ્યાર્થી પોઝીટીવ આવ્યા છે. શહેરી જીલ્લા શીક્ષણ અધિકારીએ નિરમા વિદ્યા વિહારને એક સપ્તાહ માટે બંધ કરવા આદેશ કર્યા છે. બંને શાળામાં અન્ય વિદ્યાર્થીઓના પણ કોરોના ટેસ્ટ કરાશે. 


વડોદરાની નવરચના સ્કૂલનો વધુ એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે. નવરચનાની ભાયલી સ્કૂલનો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. ચાર દિવસ માટે ઓફલાઇન શિક્ષણ બંધ રાખવામાં આવ્યું. શાળાના ઓરડા સેનેટાઇઝ કરવામાં આવ્યા. અત્યાર સુધીમાં 2 વિદ્યાર્થીઓ અને એક શિક્ષક કોવિડ પોઝિટિવ નોંધાયા છે. 


વડોદરાની શાળાઓમા વધતા કોવિડ કેસોને કારણે વાલીઓમા ચિંતા વધી છે. વડોદરા પેરેન્ટ એસોસિયેશન દ્વારા ડી.ઇ.ઓને રજુઆત કરાઈય. શાળાઓ ઓફલાઇન અભ્યાસનો આગ્રહ રાખે છે. શાળા સંચાલકો અને શિક્ષણ વિભાગ બાળકોની આરોગ્યની પણ ચિંતા કરે. શાળા સંચાલકો કોવિડ પોઝિટિવ આવે તો પણ વાલીઓને જાણ નથી કરતા. એક શાળામાં વિદ્યાર્થી તો બીજીમાં શિક્ષક કોવિડ પોઝિટિવ આવ્યા હતા. આ બંને શાળાઓની બેદરકારી હોઈ તેમની સામે કાર્યવાહીની માંગ કરાઈ.


રાજકોટમાં વિવિધ ત્રણ સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને એક સ્કૂલમાં શિક્ષક સંક્રમિત થયા છે. એમ વી. ધુલેશિયામાં એક શિક્ષક તો નિર્મલા, એસએનકે અને નચિકેતા સ્કૂલમાં વિદ્યાર્થીઓનાં રિપોર્ટ પોઝીટીવ આવ્યા  છે. જોકે, નિર્મલાની વિદ્યાર્થીની સ્કૂલમાં નહીં આવી હોવાની deoએ સ્પષ્ટતા કરી છે.