સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં દૈનિક કેસો છેલ્લા કેટલાક દિવસોથી 1300ને પાર થઈ ગયા છે. એમાં પણ સુરતમાં દૈનિક કેસો રાજ્યમાં સૌથી વધુ છે. ત્યારે સુરતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિકેન્ડમાં જ્યાં લોકો ભેગા થતા હોય ત્યાં નાકાબંધી કરાશે.


મોટા વરાછા અને સીમાડામાં નાકાબંધી કરાશે. આ વિસ્તારમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. આ વિસ્તારમાં વિકેન્ડ, સામાજિક આયોજનો અને પીકનીક થતી હોવાથી કેસો વધ્યા છે. ગઈ કાલે એક જ દિવસમાં 1344 કેસ નોંધાયા હતા. તો 16 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે તેની સામે 1240 દર્દીઓેએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 82.43 ટકા થઈ ગયો છે. અત્યાર સુધીમાં કુલ 91,470 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યારે રાજ્યમાં કુલ કેસો 1,10,971 છે, જ્યારે એક્ટિવ કેસો 16,318 છે.

ગઈ કાલે સૌથી વધુ સુરતકોર્પોરેશનમાં 174, અમદાવાદ કોર્પરેશનમાં 153, સુરતમાં 101, રાજકોટ કોર્પોરેશનમાં 99, જામનગર કોર્પોરેશનમાં 98, વડોદરા કોર્પોરેશનમાં 93, રાજકોટમાં 51, વડોદરામાં 39, પાટણમાં 30, મોરબીમાં 29, પંચમહાલમાં 29, ભાવનગર કોર્પોરેશનમાં 28, અમરેલીમાં 26, ભરુચમાં 25, કચ્છમાં 25, મહેસાણામાં 24, ગાંધીનગરમાં 22, સુરેન્દ્રનગરમાં 22, અમદાવાદમાં 21, બનાસકાંઠામાં 19, ગાંધીનગર કોર્પોરેશનમાં 18, જામનગરમાં 18, ભાવનગરમાં 17, આણંદમાં 16, જૂનાગઢમાં 16, મહીસાગરમાં 16, ગીર સોમનાથમાં 13, સાબરકાંઠામાં 13, નર્મદામમાં 10, ખેડામાં 9, તાપીમાં 9, બોટાદ 8, નવસારીમાં 8, છોટાઉદેપુરમાં 8, અરવલ્લીમાં 6, દેવભૂમિ દ્વારકામાં 5, વલસાડમાં 4, પોરબંદરમાં 2 અને ડાંગમાં 1 કેસ નોંધાયો હતો.