Surat Crime News: સુરતમાં આજે સવારે એક ચોંકાવનારી હત્યાની ઘટના ઘટી છે, અહીં પોતાના જ ઘરના સભ્યે બીજા સભ્યની હત્યા કરી હોવાની વાત સામે આવી છે. ખરેખરમાં, શહેરના ભેસ્તાન વિસ્તારમાં આઠ વર્ષની બાળકીની હત્યાનો આરોપ પોતાની જ ભાભી પર લાગ્યો છે. બાળકીને ઘરમાં જ દોરી વડે ગળાફાંસો આપીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે. આ મામલે હાલમાં પોલીસે ગુનો નોંધીને ભાભીની ધરપકડ કરી છે.


સુરતમાંથી સનસનીખેજ હત્યાની ઘટનાથી પોલીસ પણ દંગ રહી ગઇ છે, ખરેખરમાં, શહેરના ભેસ્તાન વિસ્તારમાં આજે સવારે આઠ વર્ષીય નાની બાળકીની હત્યા થઇ હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદના આધારે, શહેરમાં ભેસ્તાનમાં રહેતા એક પરિવારમાં એક નાની આઠ વર્ષની બાળકી હતી, જેને પોતાની જ ભાભીએ ગળાફાંસો આપીને મોતને ઘાટ ઉતારી દીધી છે. માહિતી છે કે, મૃતક બાળકી પોતાના પિતરાઇ ભાઇની પત્ની એટલે કે ભાભી પાસે વારંવાર જુદીજુદી ચીજવસ્તુઓની માંગણી કરતી હતી, આ વાત ભાભીને ગમી નહીં અને અંતે તેને કંટાળીને બાળકીની હત્યા કરી દીધી હતી. આ ઘટનામાં ભાભીએ બાળકીને ઘરમાં જ દોરી વડે ગળાફાંસો આપી દીધો જેનાથી તેનું મોત નિપજ્યુ હતુ. આ સમગ્ર ઘટનાનો ભેદ મૃતકના પૉસ્ટમૉર્ટમ બાદ ખુલ્યો હતો, જોકે, ભેસ્તાન પોલીસે આ ઘટનાને અંજામ આપનારી ભાભીની ધરપકડ કરી લીધી છે, અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. 


ફેવિક્વિકથી હોઠ ચોંટાડ્યા, ઘા પર લાલ મરચું ભર્યું.... છોકરી સાથે દુષ્કર્મ કરનારા મુસ્લિમ આરોપીના ઘર પર ફરી વળ્યું બૂલડૉઝર


મધ્યપ્રદેશના ગુનામાં પ્રશાસને એક છોકરી સાથે દુષ્કર્મ અને નિર્દયતાના આરોપી અયાન પઠાણના ઘર પર બૂલડૉઝર ફેરવીને જમીનદોસ્ત કરી દીધું છે. અહીં યુવતી પર થયેલા હુમલાને કારણે તેને એક આંખથી દેખાતુ સંપૂર્ણપણે બંધ થઈ ગયુ છે અને બીજી આંખની દ્રષ્ટિ ઝાંખી થઈ ગઈ છે. બાળકીને સારવાર માટે ગુનાથી ગ્વાલિયર રિફર કરવામાં આવી છે. પોલીસને આપેલા નિવેદનમાં યુવતીએ જણાવ્યું કે આરોપી અયાન પઠાણે ચાર-પાંચ દિવસ પહેલા સાવરણીના પાછળના ભાગથી તેને માર માર્યો હતો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી. આ પછી અયાને તેની જ આંખમાં પથ્થર માર્યો હતો. પીડિતાનો આરોપ છે કે અયાન પઠાણે તેને બંધક બનાવીને એક મહિના સુધી ટોર્ચર કરી હતી.


પીડિતાના કહેવા પ્રમાણે, શારીરિક શોષણની સાથે આરોપીએ 18મી એપ્રિલની રાત્રે તેના હોઠ પર ફેવિક્વિક ચોંટાડી દીધી અને તેના ઘા પર લાલ મરચાંનો પાવડર ભરી દીધો હતો, જેથી તે ચીસો પાડી શકે. આરોપી યુવતીનું ઘર પોતાના નામે કરાવવા માંગતો હતો. પીડિતાની માતાએ સરકાર પાસે આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરી છે.


આરોપીના મકાન પર ફરી વળ્યુ બૂલડૉઝર 
અહીં રવિવારે (21 એપ્રિલ) પ્રશાસને આરોપીઓના ઘર પર બૂલડૉઝર ચલાવ્યું છે. એસડીએમ રવિ માલવિયાના જણાવ્યા અનુસાર 15 બાય 25નું મકાન સરકારી જમીન પર બનાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે કાર્યવાહી પહેલા નોટિસ પણ આપવામાં આવી હતી, જેનો કોઈ જવાબ મળ્યો નથી. ત્યારબાદ આરોપીના ઘર પર બૂલડૉઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.


પીડિતાની આંખોને લઇને ડૉક્ટરોએ શું કહ્યું ? 
પીડિત બાળકીની સારવાર કરી રહેલા આંખના નિષ્ણાત ડો.અભિલાષ સિંહ રાજપૂતના જણાવ્યા અનુસાર એક આંખનો લેન્સ તૂટી ગયો છે. તેણે કહ્યું પડદા પાછળની સ્થિતિ શું છે? આ અલ્ટ્રાસાઉન્ડ પછી જ ખબર પડશે. આંખના નિષ્ણાત ડો.અભિલાષ સિંહ રાજપૂતે જણાવ્યું હતું કે પીડિતાની આંખોની રોશની પાછી આવશે કે નહીં તે સંપૂર્ણ તપાસ બાદ જ કહી શકાશે.