સુરતઃ શહેરના લિંબાયત વિસ્તારમાં પાલિકા દ્વારા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. લીંબાયતના આંબેડકરનગર વસાહતમાં 104 મકાનનું પાલિકા દ્વારા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે.


લોકોનો આક્રોશ છે કે, નોટિસ વગર ડીમોલેશન કરાયું છે. વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માંગ કરવામાં આવી છે. છેલ્લા 40 વર્ષથી રહેતા લોકો અચાનક જ રસ્તા પર આવી ગયા છે.

સહારા દરવાજાથી હટાવી લીંબાયત ખાતે સનદ આપી પાલિકા એ જ અહીં વસાવ્યા હતા. હવે વિકાસના નામે હટાવવામાં આવતો હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે.