સુરત : મૂળ જૂનાગઢ જિલ્લાના વિસાવદરના વતની અને સુરતમાં ભાગીદારીમાં કાપડાનો ધંધો કરતા વેપારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ધંધાના પૈસાના વિવાદમાં સરથાણાના કાપડ વેપારીએ આપઘાત કરી લીધો છે. રાજુભાઈ મનજીભાઈ પટોડીયાએ આપઘાત કરી લીધો છે. તેમની પાસેથી સૂસાઇડ નોટ પણ મળી આવી છે. 


રાજુભાઈએ સરથાણા નદી કિનારે ઝેર પી આપઘાત કર્યો છે. રાજુભાઈ મિલેનિયમ માર્કેટમાં ભાગીદારીમાં કાપડનો વેપાર કરતા હતા. ભાગીદારનો દગો અને લેણદારોના ત્રાસથી પગલું ભર્યું હોવાનો સૂસાઇડ નોટમાં ધડાકો કર્યો છે. સૂસાઇડ નોટને આધારે સરથાણા પોલીસે તપાસ આરંભી છે.