Surat: સુરતમાંથી વાલીઓ માટે ફરી એકવાર ચેતાવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સ્કૂલના બસ ડ્રાઇવરે નશાની હાલતમાં બેફામ બસ હંકારીને સ્કૂલના વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકી દીધા હતા, જોકે, બાદમાં લોકોએ આ ઘટનાને લઇને બસ ડ્રાઇવરને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. 


મળતી માહિતી પ્રમાણે, સુરતમાં વિદ્યાર્થીઓના જીવને જોખમ ઉભુ કરતો એક કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં ઉગત વિસ્તારમાં આવેલી રેડિયન્ટ સ્કૂલ બસના ડ્રાઇવરે નશો કરીને બેફામ બસ હંકારીને અકસ્માત સર્જ્યો હતો. ડ્રાઇવરે નશાની હાલમાં જ્યારે બેફામ બસ હંકારી તે સમયે બસમાં 38 વિદ્યાર્થીઓ સવાર હતા અને તમામના જીવ જોખમમાં મુકાયા હતા. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ બસની પીછો કરીને બસ ડ્રાઇવર દિનેશ પટેલને બાદમાં સિંગણપોર વિસ્તાર પોલીસને સોંપી દીધો હતો. 


લવ જેહાદ મુદ્દે હર્ષ સંઘવીની લાલ આંખ, બોલ્યા -'આ કાર્યવાહીને ચેતવણી સમજો, નહીંતર....'


રાજ્યમાં સતત વધી રહેલા લવ જેહાદના કિસ્સાઓ મુદ્દે હવે સરકાર એક્શનમાં આવી છે. થોડાક દિવસો પહેલા નવાસારી જિલ્લાના ખેરગામમાં એક લવ જેહાદની ઘટના સામે આવી હતી, આ પછી પોલીસે લવ જેહાદના ગુનેગાર આરોપીનું ગામમાં સરઘસ કાઢ્યુ હતુ. હવે લવ જેહાદની ઘટના મુદ્દે ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે. હર્ષ સંઘવીએ લવ જેહાદ મામલે ચેતાવતી આપતું ખાસ નિવેદન આપ્યુ છે. રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં એક જાહેરસભામાં વિદ્યર્મીઓ અને લવજેહાદ મુદ્દે ખાસ ચેતાવણી આપી અને હૂંકાર કર્યો કે, આરોપીઓને છોડવામાં નહીં આવે, કડક કાર્યવાહી કરવામાં આવશે. હર્ષ સંઘવીએ ખેરગામમાં આરોપીનું કાઢવામા આવેલા સરઘસ -વરઘોડા અંગે નિવેદન આપતા કહ્યું કે, આરોપીઓએ આ કાર્યવાહીને ચેતવણી સમજો, આનાથી પણ કડક કાર્યવાહી કરવામાં આવશે, એટલુ જ નહીં કાયદાકીય કાર્યવાહી સાથે અન્ય કાર્યવાહી પણ કરાશે. આરોપીઓએ ખેરગામના એક યુવતીને ફસાવી હતી, હિન્દુ નામ ધારણ કરીને બીજે લગ્ન કરાવ્યા હતા, યુવતી ફરિયાદ કરવા માટે તૈયાર ના હતી કેમ કે યુવતી ગભરાયેલી હતી, જોકે, યુવતીને સમજાવ્યા બાદ તેને પોલીસમાં ફરિયાદ આપી અને બાદમાં આરોપી સામે કાર્યવાહી કરાઈ છે. 


                         


Join Our Official Telegram Channel:-  https://t.me/abpasmitaofficial