Surat News: શહેરમાં વરસાદની સિઝનમાં જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે.

  ડાયમંડ નગરી સુરતના સચિન GIDC વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઈ હતી. જેના કારણે ચાર શ્રમિકો દટાયા હતા. ફાયર વિભાગે ત્રણ શ્રમિકોને કાટમાળમાંથી જીવતા બહાર કાઢ્યા હતા, જ્યારે એક શ્રમિકનું મોત થયું હતું. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. પાણીનું પોલાણ હોવાથી દિવાલ ધરાશાયી હોવાની શક્યતા છે.


અમદાવાદમાં પણ ગઈકાલે જર્જરીત ઈમારત ધરાશાયી


અમદાવાદ શહેરના મીઠાખળી વિસ્તારમાં ગઈકાલે એક જર્જરિત ઈમારત ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતાં. ચારેય ઈજાગ્રસ્તોને શહેરની SVP હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો પાસેથી વ્યક્તિ દીઠ આઠ હજાર રુપિયા લેખે સારવારના કુલ 24 હજાર રૂપિયાની માંગ કરવામાં આવી હતી. આ મામલે વિપક્ષે હોસ્પિટલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.




એએમસીના વિપક્ષના નેતાઓએ એસવીપી હોસ્પિટલમાં ‘ગરીબો કો લૂંટના બંધ કરો, ન્યાય આપો ન્યાય આપો’ જેવા સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષના નેતાઓએ માંગ કરી હતી કે, માનવતાના ધોરણે દરેક ઈજાગ્રસ્ત વ્યક્તિને પ્રાથમિક સારવાર આપવી જોઈએ. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે, ગરીબો માટેની વીએસ હોસ્પિટલને બંધ કરીને 750 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી 1200 બેડની એસવીપી હોસ્પિટલમાં ગરીબોની સારવાર હવે શક્ય નથી.




વિપક્ષના નેતાએ કહ્યું હતું કે, મીઠાખળી ગામમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટના ઇજાગ્રસ્ત લોકોને સારવારની જગ્યાએ તેમની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી હોવાનું તેનું ઉદાહરણ છે. આટલી મોટી રકમ તેઓ પાસે ના હોવાથી એલજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. જે સ્પષ્ટ દર્શાવે છે કે એસવીપી હોસ્પિટલમાં ગરીબ વ્યક્તિઓની સારવારના ભાજપ સરકાર દ્વારા ફકત ખોટા વાયદા કરવામાં આવે છે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial