PM Modi in Surat : વડાપ્રધાન મોદીએ સુરત ડાયમંડ બુર્સનું કર્યું ઉદ્ધાટન, દોઢ લાખ લોકોને મળશે રોજગારી

surat: સુરત એરપોર્ટના આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાથી યાત્રી અવરજવર અને કાર્ગો સંચાલનમાં વધારા સાથે ક્ષેત્રીય વિકાસના અવસરો આપશે

gujarati.abplive.com Last Updated: 17 Dec 2023 01:12 PM

બ્રેકગ્રાઉન્ડ

surat:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 17મીએ રૂ.૩૫૩ કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ, મહાનુભાવો, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના...More

ગુજરાતમાં હવે ત્રણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે

લોકોને સંબોધતા સુરત પાસે ઈતિહાસનો અનુભવ છે. સુરતમાં કામમાં લોચો મારે નહી, ખાવામાં લોચો છોડે નહી. આ ડાયમંડની ચમક સામે દુનિયાની મોટી ઈમારતોની ચમક ફિક્કી છે. ડાયમંડ બુર્સનું નામ લેવાશે ત્યાં સુરત, ભારતનું નામ આવશે જ. આ બિલ્ડીંગ નવા સંકલ્પનું પ્રતિક છે. આજે સુરતના લોકો, વેપારીઓને વધુ બે ભેટ મળી છે. આજે સુરત એયરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ થયું છે. આજે સુરત એયરપોર્ટને આંતરરાષ્ટ્રીય એયરપોર્ટનો દરજ્જો મળ્યો છે. સુરતીઓની વર્ષો જૂની માંગ આજે પૂરી થઈ છે. પહેલા સુરત એરપોર્ટ બસ સ્ટેશન જેવું લાગતુ હતુ. સુરતથી દુબઈ ફ્લાઈટ આજથી શરૂ થશે. ગુજરાતમાં હવે ત્રણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કારણે દરેક ક્ષેત્રને ફાયદો થશે.