આ અંગેની વિગતો એવી છે કે, પુણામાં રહેતી 15 વર્ષીય સગીરા વર્ષ 2018થી 10-11-2020 દરમિયાન અભ્યાસ માટે જગદીશ અગ્રવાલ(રહે. ભૈયાનગર પુણા)ની સ્કૂલવાનમાં જતી હતી. દરમિયાન જગદીશે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ લગ્નની લાલચ આપીને ત્રણેક વાર શારીરિક સંબંધ બાંધ્યા હતા.
ગઈ કાલે જગદીશ અગ્રવાલ પત્ની રવિના તેમજ અજાણી મહિલા સાથે સગીરાના ઘર પાસે આવ્યો હતો. તેમજ સગીરાને મળવા બોલાવી જબરદસ્તી કારમાં બેસાડી અપહરણ કરી લીધી હતું. તેમજ તેને કારમાં માર પણ માર્યો હતો. આ અંગે સગીરાની બહેને ત્રણેય સામે ફરિયાદ કરતાં પુણા પોલીસે મહિલા અને નરાધમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.