સુરત: સાયબર સેફ સિટી બનાવવા પોલીસનું સાયબર સંજીવની અભિયાન શરુ કરવામાં આવ્યું છે. સુરતના સંજીવકુમાર ઓડિટોરિયમમાં આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ સમારોહ યોજાયો હતો.


 






સુરત શહેરને સાયબર સેફ સિટી બનાવવા પોલીસ તંત્રએ અડાજણ સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલ ખાતે રાજ્યના ગૃહમંત્રી હર સંઘવીના હસ્તે સાયબર સંજીવની ૨.૦ અભિયાન લોકાર્પણ આવ્યું છે. ડિજિટલ યુગમાં સાઇબર ક્રાઇમના વધી ગયેલા બનાવો પોલીસ માટે પડકારરૂપ બન્યા છે. સાઇબર માફિયા નીત-નવી મોડસ ઓપરન્ડીથી સામાન્ય લોકોને છેતરી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર પણ સાઇબર ક્રાઇમ સામે લડવા સજ્જ બની ગયું છે. 


હેકિંગ,ફિશિંગ,કોલ સ્ફુર્ફિંગ સહિતના બનાવોની સાથો સાથ ડીપ ફેંક જેવા નવા સાઇબર ક્રાઇમે પણ સૌને વિચારતા કરી દીધા હતા. સાયબર ક્રાઇમથી લોકોને આર્થિક રીતે નુકશાન પહોંચાવાના બનાવો વચ્ચે સામાજીક રીતે બદનામ કરવાના કિસ્સાઓમાં પણ ચોંકાવનારો વધારો નોંધાયો છે. સોશિયલ મીડિયાના વધતા વ્યાપ વચ્ચે સાઇબર ક્રાઇમની ઘટનાઓએ ઉપાડો લીધો છે.આ અંકુશમાં લેવા માટે સુરત પોલીસ દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના  હસ્તે સાયબર સંજીવની ૨.૦ અભિયાન લોક અર્પણ કર્યું છે સાથે જ લોકોને નાટકના માધ્યમથી ડિજિટલ યુગના માધ્યમથી બનતા સાયબર ક્રાઇમ વિશે લોકોને જાગૃત કર્યા હતા


રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ  કાર્યક્રમમાં સંબોધિત કરતા જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમની લડાઈ પોલીસે નહીં પણ બધાએ સાથે લડાવી પડે. આ સાયબર ક્રાઇમ માટે સુરત પોલીસે રાતદિવસ મહેનત કરી છે. સુરત પોલીસે જે પ્રોગ્રામ કર્યો એ તમારા ઘરમાં તમામ લોકોને તમારો એકાઉન્ટ નંબર શેરના કરવો જોઈએ. દીકરીઓએ પોતાના instagram એકાઉન્ટ પર રીલ મુકીને લાઈક લાવવાનું એ કઈ ખોટું નથી.આજના જમાનામાં મારા રાજ્યની દીકરીઓ જે ઈચ્છે તેકરી શકે.પરંતુ એને બધી જ સેફટીના ધ્યાનમાં રાખીને આ વિષય પર કામ કરવું એવી ખૂબ જરૂરી છે.


વધુમાં જણાવ્યું હતું કે તમામ પીઆઈઓને નાગરિકોની એક જ કોલમાં સાઇબર ક્રાઇમની ફરિયાદ નોંધવા અપીલ છે.સાઈબર ક્રાઇમમાં 1930 નંબર ટેલી કોલર પર 50 કર્મચારીના બદલે હવે 300 ટેલિકોલર કરવામાં આવશે. સૌથી વધારે હોશિયાર ભણેલા લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને છે.