સુરતઃ  ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા 33 વર્ષીય મહિલા પીએસઆઇ અમિતા જોશીએ ગઈકાલે પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યો હતો. આજે તેની અંતિમ યાત્રા યોજાઈ હતી. જેમાં પરિવારજનોના હૈયાફાટ રૂદનથી માહોલ ગમગીન બની ગયો હતો. પરિવારજનો દ્વારા અશ્રુભીની આંખે વિદાય આપવામાં આવી હતી. જ્યારે સુરત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
શનિવારે ડ્યુટી પરથી પરત આવ્યા બાદ જીવવું અઘરૂં છે, મારા મોત માટે કોઈ જવાબદાર નથી લખી મહિલા PSIનો સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને આપઘાત કર્યો હતો. આપઘાત કરી લેનાર અમિતા જોશી 2013માં ડાયરેક્ટ બેચના PSI હતા. તેમના પિતા પણ નિવૃત પોલીસ કર્મચારી છે.




દિલ્હીગેટ પાસેના ફાલસાવાડી સ્થિત પોલીસ ક્વાર્ટસમાં રહેતા ૩૩ વર્ષીય અનિતાબેન જોષી ઉધના પોલીસ મથકમાં સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવાતાં હતા પણ તેમનો ઉથેર અમરેલી જિલ્લાના ધારીમાં થયો હતો. તેમના પિતા બાબુભાઈ પણ પોલીસ ખાતામાં હતા. અમરેલી પોલીસમાં વરસો સુધી કામ કરનારા બાબુબાઈને લોકો પ્રેમથી જમાદાર કહીને બોલાવતા અને માન આપતા. બાબુભાઈ અત્યારે વતન ધારીમાં નિવૃત્ત જીવન જીવે છે. અનિતા જોશીએ શિક્ષણ સૌરાષ્ટ્રમાં જ લીધું છે. પિતાની જેમ અનિતા જોશી પણ લોકોને મદદ કરવાની ભાવના સથે પોલીસમાં જોડાયાં હતાં અને મિલનસાર સ્વભાવના કારણે લોકપ્રિય હતાં.



અનિતા જોશીના પતિ વૈભવ વ્યાસ પણ સૌરાષ્ટ્રના છે. વૈભવ વ્યાસ ભાવનગર જિલ્લાના ઘોઘા પાસેના ભૂંભલી ગામના છે. તેમના પતિ પણ પોલીસ કોન્સ્ટેબલ છે અને સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર છે. અનિતા જોશીએ આપઘાત કર્યો ત્યારે તેમના પતિ  સહિત પરિવારજનો સબંધીના લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે વતન ભાવનગર ગયેલા હતા. શનવારે બપોરે તેમના પતિએ અનિતાબેનને અવારનવાર કોલ કર્યા હતા પણ રીસીવ થયા નહોતા.

અનિતા જોશીએલગ્ન પછી પણ પોતાના પતિનું નામ અને અટક લખાવવાના બદલે પિતા બાબુભાઈનું નામ અને જોશી અટક ચાલુ રાખી હતી.