સુરતઃ થાઇલેન્ડની યુવતી વનીદાના રહસ્યમય મોત કેસમાં થાઈલેન્ડની જ `આયદા` નામની યુવતી અને મગદલ્લા ગામમાં રહેતા `ચેતન` નામના યુવાન પર પણ પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે ત્યારે પોલીસને લૂંટની પણ આશંકા છે. વનીદાની સોનાની ચેઇન, રોક્ડ અને ત્રણ મોબાઇલ ગાયબ હોવાથી લૂંટની પણ આશંકા પોલીસને છે.


વનીદાની આવક મહિનાની દોઢ લાખ રૂપિયા આસપાસ હતી પણ આ રકમ ફણ મળી નથી તેથી પોલીસ લૂંટનો એંગલ પણ તપાસી રહી છે.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે વનીદા સોનાની ચેઇન પહેરતી હતી અને રોક્ડ પોતાની પાસે જ રાખતી હતી. ઘટના બાદ સ્થળ પર પહોંચેલી પોલીસને રૂમમાંથી સોનાની ચેઇન કે રોક્ડ મળી નથી. વનીદા ત્રણ મોબાઇલ યુઝ કરતી હતી પરંતુ તે પણ મળ્યા નથી. આ મોબાઈલમાં શું હતું તે પણ પોલીસ તપાસ કરી રહી છે.

વનીદાના રૂમમાં કોસ્મેટીક વસ્તુઓ આગમાં સળગી ગઇ હતી તેના કેટલાક પુરાવા મળ્યા છે. સ્પામાં કામ કરતી વિદેશી યુવતીઓ મહિને એકથી દોઢ લાખની કમાણી કરે છે. વનીદા આ કમાણી પોતાની પાસે જ રાખતી હતી. પોલીસને રોક્ડ બળી ગઇ હોય કે પછી સોનાની ચેઇન કે મોબાઇલ સળગી ગયા હોય તેવા કોઇ પુરાવા પોલીસને મળ્યા નથી તેથી વનીદાના મોત પાછળ લૂંટની પણ આશંકા સેવાઈ રહી છે.

સુરતઃ થાઈલેન્ડની યુતીની મહિનાની આવક દોઢ લાખ રૂપિયા હતી, 3 મોબાઈલમાં શું હતું ? પોલીસને શું છે શંકા ?

સુરતઃ થાઇલેન્ડની યુવતી વનીદાના રહસ્યમય મોત કેસમાં થાઈલેન્ડની જ `આયદા` નામની યુવતી અને મગદલ્લા ગામમાં રહેતા `ચેતન` નામના યુવાન પર પણ પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે ત્યારે પોલીસને લૂંટની પણ આશંકા છે. વનીદાની સોનાની ચેઇન, રોક્ડ અને ત્રણ મોબાઇલ ગાયબ હોવાથી લૂંટની પણ આશંકા પોલીસને છે.

વનીદાની આવક મહિનાની દોઢ લાખ રૂપિયા આસપાસ હતી પણ આ રકમ ફણ મળી નથી તેથી પોલીસ લૂંટનો એંગલ પણ તપાસી રહી છે.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે વનીદા સોનાની ચેઇન પહેરતી હતી અને રોક્ડ પોતાની પાસે જ રાખતી હતી. ઘટના બાદ સ્થળ પર પહોંચેલી પોલીસને રૂમમાંથી સોનાની ચેઇન કે રોક્ડ મળી નથી. વનીદા ત્રણ મોબાઇલ યુઝ કરતી હતી પરંતુ તે પણ મળ્યા નથી. આ મોબાઈલમાં શું હતું તે પણ પોલીસ તપાસ કરી રહી છે.

વનીદાના રૂમમાં કોસ્મેટીક વસ્તુઓ આગમાં સળગી ગઇ હતી તેના કેટલાક પુરાવા મળ્યા છે. સ્પામાં કામ કરતી વિદેશી યુવતીઓ મહિને એકથી દોઢ લાખની કમાણી કરે છે. વનીદા આ કમાણી પોતાની પાસે જ રાખતી હતી. પોલીસને રોક્ડ બળી ગઇ હોય કે પછી સોનાની ચેઇન કે મોબાઇલ સળગી ગયા હોય તેવા કોઇ પુરાવા પોલીસને મળ્યા નથી તેથી વનીદાના મોત પાછળ લૂંટની પણ આશંકા સેવાઈ રહી છે.