Surat News: ડાયમં નગરી સુરતમાં હચમચાવનારી ઘટના સામે આવી છે. શહેરના ડીંડોલી વિસ્તારમાં સળગેલી હાલતમાં મહિલાની લાશ મળી આવી છે. મહિલા સંપૂર્ણ પણે બળી જતાં મોત થયું હતું. મહિલાનું નામ સુજીદેવી ચૌધરી અને ઉંમર આશરે 45 વર્ષ છે. આજે સવારે 9.30 વાગ્યા આસપાસ ઘટના બની હતી.


મહિલાના રહસ્યમય મોતથી અનેક સવાલો


ઘર કંકાસમાં ઘટના બની હોવાની આશંકા છે. 4 દિવસ અગાઉ પતિ રાજ્સ્થાન મંદિરે ગયો હતો. મૃતક મહિલાના પરિવારમાં બે બાળક અને એક દીકરી છે.  મહિલાનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં અનેક સવાલ ઉઠી રહ્યા છે. 


સુરતમાં યુવક-યુવતીને થયો પ્રેમ, શરીરસુખ માણતાં રહી ગયો ગર્ભ ને પછી કર્યુ એવું કે.....


ડાયમંડ નગરી સુરતના વરાછા વિસ્તારમાં શૌચાલયમાંથી મૃત હાલતમાં નવજાત બાળક મળી આવ્યું હતું. જેને લઈ વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં પોલીસે બે પ્રેમી પંખીડાની અટકાયત કરી પૂછપરછ કરી હતી. પ્રેમી યુવક અને યુવતી ભાગીને લગ્ન કરવાના હતા. જોકે તે પહેલા જ બંને વચ્ચેના સંબંધને કારણે યુવતીને ગર્ભ રહી ગયો હતો. જેથી મૃત નવજાતને શૌચાલયમાં મુકીને ફરાર થઈ ગયા હોવાનું કબૂલ્યું હતું.


શું છે મામલો


રાજ્યમાં નવજાત બાળકોને તરછોડી દેવાના કિસ્સા છાશવાર પ્રકાશમાં આવતા હોય છે ત્યારે સુરતમાં ત્રણ દિવસ પહલા વરાછાના પે એન્ડ યુઝ શૌચાલયમાંથી નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું. શૌચાલયની સાફ સફાઇનું કામ કરતાં કર્મચારી શુક્લ ભથ્થુકુમારે આ અંગે શૌચાલયનું કાઉન્ટર સંભાળતા કર્મચારીને જાણ કરી હતી. મૃત હાલતમાં મળી આવેલા બાળક અંગે વરાછા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી બાળકને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યું હતું. આ માલે વરાછા પોલીસે અજાણી સ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં યુવતી અ યુવક બંને મૂળ મધ્યપ્રદેશના અને આંબાવાડી પાટી ચાલ ઝુંપડપટ્ટી વરાછામાં રહેતા હોવાનું જાણવા મળ્યા બાદ અટકાયત કરીને પૂછપરછ કરી હતી. જેમાં બંનએ એકબીજાના પ્રેમમાં હોવાનું અને ભાગીને લગ્ન કરવાના હતા પરંતુ તે પહેલા શારીરિક સંબંધના કારણે યુવતીને ગર્ભ રહી ગયો હોવાથી બાળકનો જન્મ થયો હોવાથી તેને તરછોડી દીધું હોવાની કબૂલાત કરી હતી. જે બાદ પોલીસ બંનેની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.