સુરતઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કોરોનાના મહામારીને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે બારડોલીના ખાનગી વાહનના ચાલક યુવકનો યુપીના ગોરખપુર નજીકથી મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે. યુવક બારડોલી તાલુકાના ખરવાસા ગામનો રાજેન્દ્ર પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું છે. મૃતક રાજેન્દ્ર પ્રજાપતિ ગત 21 તારીખે મુંબઇ થઈ ગોરખપુર જવા નીકળ્યો હતો.


યુવક કારનું ભાડું આવતા મુસાફર મુકવા યુપી ગયો હતો અને પરત ફરી રહ્યો હતો ત્યારે ઘટના બની હતી. હાર્ટ એટેકને કારણે યુવકના મૃત્યુ ની આશંકા છે. યુવકને ડાયાબીટીસની બીમારી પણ હતી. મૃતકના મૃતદેહને યુપીથી બારડોલી લાવવા તજવીજ હાથ ધરાઈ છે.