સુરતઃ સુરતમાં ખાડીના પૂરને કારણે લોકો ભારે પરેશાન થઈ ગયા છે. સુરત શહેરમાં તો પૂરે તબાહી મચાવી હતી. ત્યારે આસપાસના કેટલાક ગામોને પણ અસર થઈ છે. સુરતના સણીયા હેમદ ગામમાં પૂરના પાણી ફરી વળ્યા છે. રોડ-રસ્તા પર 7 ફૂટ પાણી ભરાયું છે. સણીયા હેમદ ગામનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે.


છેલ્લા 5 દિવસથી પાણીમાં મંદિર ગરકાવ થયું છે. સણીયા હેમાદ ગામ ખાતે 5માં દિવસે પણ પૂર જેવી સ્થિતિ યથાવત છે. મંદિર, નાના મકાનો, ફળિયા પાણીમાં ડૂબ્યા છે. ખાડીમાં પુરને કારણે ગામવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.