સુરત: સુરતના કતારગામમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો.  રિક્ષામાં આવેલા ટપોરીઓએ કેટલાક લોકોને છરી મારી હતી. આ મામલે પોલીસે 3 સામે કાર્યવાહી કરી છે. સુરતના કતારગામ વિસ્તારમાં આ ઘટના બની હતી. 


વગર વાંકે લોકોને ચપ્પુના ઘા માર્યા


જાહેરમાં અસામાજિક તત્વોએ ધમાલ મચાવી હતી. આ ઘટનાને લઈ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.  કતારગામમાં રિક્ષામાં આવેલા ટપોરીઓએ આતંક મચાવ્યો અને વગર વાંકે લોકોને ચપ્પુના ઘા માર્યા હતા.  વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી ધમાલ મચાવનાર ત્રણ ટપોરી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને લઈ સામાન્ય લોકો પણ ડરી ગયા હતા. રાત્રે બનેલી આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળે છે કે રિક્ષામાં આવેલા ટપોરીઓએ રીતસરનો આતંક મચાવ્યો હતો. આ ઘટના બાદ પોલીસ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.  


સુરતની મહિલાએ તાપી નદીમાં લગાવી મોતની છલાંગ


સુરતની મહિલાએ તાપી નદીમાં મોતની છલાંગ લગાવી છે.  કામરેજના ખોલવડ પાસે તાપી નદીમાં કુદી મહિલાએ જીવન ટૂકાવ્યું છે.  કામરેજ પોલીસે મહિલાના મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે.  મૃતક સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા હતા. તાપી નદીમાં મોતની છલાંગ લગાવનાર મહિલાનું નામ કોમલ નિમાવત છે. એક વર્ષ પહેલાં મહિલાના છૂટાછેડા થયા હતા. કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 


તાપી નદીમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. કામરેજ પોલીસે મૃતદેહનો કબજો લઈ તપાસ કરતા મૃતક મહિલા સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. હાલ કામરેજ પોલીસે આગળની તપાસ હાથ ધરી ધરી હતી.  


સુરતમાં આપઘાતની બે ઘટનાઓ, બન્નેમાં રત્નકલાકારે ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યુ


સુરતમાં થોડા દિવસો પહેલા જ બે જુદીજુદી ઘટનાઓમાં આપઘાતથી મોતના કિસ્સા સામે આવ્યા હતા. શહેરમાં વેડ રૉડ અને વરાછામાં એમ બે અલગ અલગ ઘટનાઓમાં બે રત્નકલાકારોઓ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યુ હતું. 


મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં ફરી એકવાર આપઘાતના કિસ્સાઓ એક પછી એક સામે આવી રહ્યાં છે. શહેરમાં બે અલગ અલગ કિસ્સાઓમાં બે રત્નકલાકારોએ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવ્યુ હતું. આપઘાતની પહેલી ઘટના શહેરના વેડ રૉડ પર ઘટી છે, અહીં મૂળ મૂળ બનાસકાંઠાના સુઇગામના જે કેટલાક સમયથી વેડ રોડ સ્થિત બહુચરનગરમાં ઘટી છે, અહીં હીરાના કારખાનામાં કામ કરી રહેલા એક રત્નકલાકારે ઘરના છતના હૂંક સાથે મફલર બાંધીને જીવન ટૂંકાવ્યુ છે, આ રત્નકલાકાર હીરાના કારખાનામાં કામ કરીને પત્ની અને દીકરાનું ભરણપોષણ કરતો હતો.