સુરત: વરેલી લઠ્ઠાકાંડ બાદ રાજ્ય સરકાર અને પોલીસની ઉંઘ હરામ થઈ ગઈ છે. રાજ્ય સરકારે તપાસ માટે રચેલી 3 સભ્યોની ઉચ્ચસ્તરીય તપાસ સમિતિ આજે ગૃહ મંત્રાલયને રિપોર્ટ સોંપશે. વી એમ પારઘીની વડપણ વાળી સમિતિ આજે આ રિપોર્ટ સોંપશે.


સરકારે 3 સભ્યોની તપાસ સમિતિને 3 દિવસમાં તપાસ કરીને રિપોર્ટ સોંપવા આદેશ કર્યો હતો..પરિણામે કાયદો અને વ્યવસ્થા સંભાળતા એડિશનલ ડીજીપી વી.એમ. પારઘીની અધ્યક્ષતામાં 3 સભ્યોની તપાસ કમિટી રિપોર્ટ સુપ્રત કરશે. આ મુદ્દે મુખ્યમંત્રી રૂપાણી પણ ખાતરી આપી છે કે દોષિતોને બક્ષવામાં નહીં આવે.