ભરુચઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ભરૂચમાં એસ.આર.પી.ના બે જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વાલિયાના રૂપનગર ખાતે આવેલ એસ.આર.પી. કેમ્પના બે જવાનો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. બંન્ને જવાન અમદાવાદમાં ફરજ પર ગયા હતા. આ પછી તેમને કોરોના થયો છે.


નોંધનીય છે કે, ભરુચમાં ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કોરોનાના કેસોની સંખ્યા 28 હતી. જેમાંતી 25 લોકો સ્વસ્થ થઈ ગયા છે. જ્યારે બે લોકોના મોત થયા છે. જ્યારે એક જ કેસ એક્ટિવ રહ્યો હતો. જોકે, વધુ બે કેસો સામે આવતાં હવે 3 એક્ટિવ કેસ થયા છે. તેમજ કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 30એ પહોંચી છે.