સુરતઃ નેશનલ હાઇવે નંબર-48 પર પાલેજ નજીક વરેડિયા પાસે અકસ્માતમાં બે પદયાત્રીઓના મોત થયા છે. જ્યારે એકને ઇજા થઈ છે. આ પદયાત્રીઓ સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. પાલેજ પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.