સુરતઃ શહેરના અમરોલી વિસ્તારમાંથી મહિલાની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે હત્યા નો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે મહિલાના પરિવારે બળાત્કાર ગુજારીને હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. પોલીસે હત્યારાને પકડવાની માંગ કરી છે.


આ સાથે મૃતક મહિલાના પરિવારે પોલીસને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. હત્યારો નહીં પકડાય તો સોસાયટી અમરોલી પોલીસ મથકનો ઘેરાવ કરશે, તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.