વડોદરાઃ પારુલ આયુર્વેદિક હોસ્પીટલના સ્ટાફ ક્વાટર્સમા યુવકે અપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવક છોટાઊદેપુર હોવાનું અને પોતાના પરિવાર સાથે રહી પારુલ આયુર્વેદિક કોલેજમાં પ્યુન તરીકે નોકરી કરતો હતો. બપોરે જમવા આવતા રૂમનો દરવાજો બંઘ કરી પંખે સાડીનો ગાળીયો બનાવી અપઘાત કર્યો હતો.


યુવકે ભરેલા પગલા પાછળનુ રહસ્ય અકબંધ છે. યુવકનુ નામ સુનીલભાઈ કંચનભાઈ વણકર(ઉ.વ. 19) હોવાનું સામે આવ્યું છે. યુવકનો પરિવાર પણ પારુલ આયુર્વેદિક કોલેજમાં નોકરી કરે છે. પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે.