વડોદરા:  શહેરના છાણી વિસ્તારમાં ડેન્ગ્યુથી 11 માસ ની બાળકીનું મોત થતા સ્થાનિક રહીશો ચિંતામાં મુકાયાં છે. છાણીના શ્રીનાથજી પાર્ક અને શ્રીનાથજી રેવન્યુ વિસ્તારમાં સતત ગટર ઉભરાવાની ઘટનાને પગલે 1000થી વધુ સ્થાનિક લોકોએ બિલ્ડર અને કોર્પોરેશન તંત્ર પર રોસ ઠાલવ્યો હતો. સોસાયટીમાં 10 થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. કેટલાક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તો બીજી તરફ છેલ્લા 3 દિવસથી 11 માસની બાળકીની હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. જોકે  સારવાર દરમિયાન બાળકીનું હોસ્પિટલમાં જ મૃત્યુ થયું હતું જેને લઈ સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. સોસાયટીની ગટરો છેલ્લા 6 માસથી ઉભરાઈ રહી હોવા છતા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.


ગૌશાળા-પાંજરાપોળના સંચાલકો માટે સારા સમાચાર


છેલ્લા ઘણા સમયથી ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા હતા. ત્યારે હવે રાજ્ય સરકારે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની માંગણીઓનો સ્વીકાર કર્યો છે. આવતી કાલે અંબાજીથી 'મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના'નો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ કરવામાં આવશે. મહત્વનું છે કે, વર્ષ 2022-23ના બજેટમાં 'ગૌ માતા પોષણ યોજના'ની જાહેરાત કરાઈ હતી. 


ગૌ માતાના રખરખાવ, નિભાવ માટેની યોજના


પ્રધાનમંત્રી મોદી ગૌ માતા-ગૌ વંશના નિભાવ માટેની મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો આદ્યશક્તિ ધામ અંબાજીથી પ્રારંભ કરાવશે. પીએમ મોદી નવરાત્રીના પાવન પર્વ અવસરે આવતીકાલે, શુક્રવારે આદ્યશક્તિ ધામ અંબાજીથી ગુજરાતના ગૌ વંશ અને ગૌ માતાના રખરખાવ, નિભાવ માટેની ‘મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના’નું લોંચિંગ કરશે. 


પ્રતિક રૂપે 5 ગૌશાળા અને પાંજરાપોળને સહાય આપશે પીએમ મોદી









PM મોદીનો 30 સપ્ટેમ્બરનો કાર્યક્રમ


૩૦ સપ્ટેમ્બરના રોજ સવારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો કરાવશે ફ્લેગ ઓફ. ૩૦મીએ સવારે ૧૦.૧૫ કલાકે વંદે ભારત ટ્રેન ને કરાવશે ફ્લેગ ઓફ. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન જશે પીએમ. કાલુપુરથી સવારે ૧૧.૩૦ કલાકે મેટ્રો ટ્રેનના ૨ રૂટની પ્રધાનમંત્રી શરૂઆત કરાવશે. કાલુપુરથી થલતેજ અને ગ્યાસપુરથી મોટેરા રુટની શરુઆત કરાવશે. અમદાવાદમા એઈએસ ગ્રાઉન્ડ ખાતે ૧૨.૩૦ વાગે સભાને સંબોધશે પીએમ.