વડોદરાઃ નોટ રદ્દ થતા કામન ભારણને લીધે વધુ તબિયત લથડતા બેંક કર્મચારીનું મોત
abpasmita.in | 20 Nov 2016 09:25 AM (IST)
વડોદરાઃ વાઘોડિયા રોડ પર રહેતા પંજાબ નેશનલ બેંકમાં આસિસ્ટંટ બેંક મેનેજરનું બ્રેન હેમરેજ અને તાવના લીધે મોત થયું છે. બેંક કર્મચારીની તબિયત સારી ના હોવા છતા 500 અને 1000 નોટ રદ્દ થતા સતત કામમાં હાજર રહ્યા હતા. જેથી તબિયત વધુ લથડતા ખાનગી હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતુ. 1000 અને 500 ના દરની નોટ રદ્દ થતા આમ જનતા મુશ્કેલી વેઠી રહી છે સાથે સાથે બેંકોમાં કામ કરતા કર્મચારીઓની કામના ભારણને લીધે ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. અચાનક બેંકના કામનું ભારણ વધી જતા બેંકમાં કામ કરતા લોકોની તબિયત બગડી રહી છે.