વડોદરા: કાળા નાણા મુદ્દે PM મોદીએ ખૂલ્લી ચિમકી આપી છે. વડોદરામાં અંતરરાષ્ટ્રીય એરપોર્ટેના ઉદ્દઘાટન પ્રસંગે એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યુંકે, કાળાધન મુદ્દે હજી સર્જિકલ સ્ટ્રાઈક બાકી છે. આ રીતે પ્રધાનમંત્રી મોદીએ  દેશભરમાં કાળું નાણું છુપાવી રાખનારાઓ સામે લાલ આંખ કરી હતી.