વડોદરા: એમ.એસ.યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. સંસ્કૃત ફેકલ્ટી બહાર નમાઝ પઢવાનો વિવાદ સામે આવ્યો છે. એક પુરુષ અને એક મહિલાએ નમાઝ પઢી હોવાની વાત સામે આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. આ મામલે આગામી દિવસોમાં ડિનને રજુઆત કરવામાં આવશે. તો બીજી તરફ વીએચપી આ ઘટના બાદ અન્ય ફેકલ્ટીઓમાં પણ મુલાકાત લેશે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્તિક જોશીએ આંદોલનની ચીમકી આપી છે.


ઈશાના જૂડવા બાળકો માટે વિશેષ પૂજા કરશે મુકેશ અંબાણી


રિલાયન્સ ગ્રુપના ચેરમેન અને રિલાયન્સ રિટેલના ડિરેક્ટર મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી પોતાના જોડિયા બાળકો સાથે મુંબઈમાં પોતાના ઘરે પહોંચી ગઈ છે. જ્યાં તેમના પરિવારે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઈશા અંબાણી અને તેમના પતિ આનંદ પીરામલ 24 ડિસેમ્બરના રોજ તેમના બે જોડિયા બાળકો (આદ્યા અને કૃષ્ણા) સાથે પહેલીવાર તેમના મુંબઈના ઘરે પહોંચી છે, જેના કારણે અંબાણી પરિવારે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું છે.


અંબાણી પરિવારની પાર્ટી ચર્ચામાં રહે છે 


દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમનો પરિવાર તેમના ભવ્ય કાર્યો માટે જાણીતા છે. અંબાણી પરિવારની દરેક ઉજવણી ચર્ચામાં રહે છે. આ અવસર પર અંબાણી પરિવારની ભવ્ય પાર્ટી થઈ રહી છે. તે જ સમયે, સામાન્ય લોકો તરફથી સોશિયલ મીડિયા પર કોમેન્ટ પણ આવી રહી છે.


ઈશાનું ભવ્ય સ્વાગત









વિશેષ પૂજામાં 300 કિલો સોનું દાન કરશે


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ખાસ અવસર પર અંબાણી પરિવારે ધાર્મિક વિધિના ભાગરૂપે એક વિશેષ પૂજાનું આયોજન કર્યું છે, જેમાં દેશના ઘણા પ્રતિષ્ઠિત પંડિતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથે જ પરિવાર આ પૂજામાં 300 કિલો સોનું દાન પણ કરવા જઈ રહ્યો છે.


5 અનાથાશ્રમ ખોલવાની તૈયારી


આ પ્રસંગને વધુ યાદગાર બનાવવા માટે અંબાણી પરિવાર 5 અનાથાશ્રમ પણ ખોલવા જઈ રહ્યો છે. આ ઉપરાંત, જો આપણે ભોજનના આયોજનની વાત કરીએ તો, આમાં વિશ્વભરના પ્રખ્યાત કેટરર્સને બોલાવવામાં આવ્યા છે.


ફોટો-વિડિયો વાયરલ થઈ રહ્યા છે


અંબાણી પરિવારના આ ફંકશનને જોઈને સામાન્ય લોકો ખૂબ જ આશ્ચર્યમાં છે. સોશિયલ મીડિયા દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકોએ કપલ અને અંબાણી પરિવારને અભિનંદન પાઠવ્યા છે. ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્ન પણ 2018માં ખૂબ જ ધામધૂમથી થયા હતા, આ લગ્નમાં બોલિવૂડની ઘણી હસ્તીઓ જોવા મળી હતી.