વડોદરાઃ ઉત્તર પ્રદેશમાં ભાજપની યોગી સરકારે લવ જેહાદને વટહૂકમ બહાર પાડ્યો છે. જેને લઈને વિવાદ મધપૂડો છેડાયો છે. ત્યારે ગુજરાતમાં પણ લવ જેહાદનો કાયદો બનાવવાની માંગ ઉઠી છે. ભાજપના જ દિગ્ગજ નેતા અને ધારાસભ્ય દ્વારા રાજ્યમાં આ કાયદો બનાવવાની માંગ કરી છે.


આ અંગેની વિગતો એવી છે કે, ડભોઈના ભાજપ ધારાસભ્ય શૈલેષ મહેતાએ મોટું નિવેદન આપતાં જણાવ્યું છે કે, ગુજરાતમાં લવ જેહાદનો કાયદો બનવો જોઈએ. અમે સરકારને રજૂઆત કરીશું. રાજ્યમાં લવ જેહાદના મામલાઓ વધ્યા છે. ઉત્તર પ્રદેશની જેમ રાજ્ય સરકાર પણ કાયદો લાવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.