વડોદરામાં નિર્માણાધિન ઈમારત તૂટી પડતા ત્રણ લોકોના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Sep 2020 07:29 AM (IST)
નિર્માણાધિન ઈમારતની છત નીચે ચારેય મજૂરો સૂતા હતા તે દરમિયાન આ દુર્ઘટના બની હતી.
વડોદરાઃ વડોદરામાં નિર્માણાધિન ઈમારત તૂટી પડતા ત્રણ લોકોના મોત થયા છે. બાવામાન પુરામાં ત્રણ માળની નિર્માણાધાની ઈમારત ધરાશાયી થયી હતી. જેમાં ચાર મજૂર દટાયા, એક મહિલા અને બે પુરુષના મોત થયા છે. જ્યારે એક યુવકને બહાર કાઢવામાં આવ્યો છે. નિર્માણાધિન ઈમારતની છત નીચે ચારેય મજૂરો સૂતા હતા તે દરમિયાન આ દુર્ઘટના બની હતી. ભોયંતળિયે આવેલા સર્વિસ સ્ટેશનમાં પડેલી બે કાર સહિતના વાહનોનો પણ આ ઘટનામાં ભુક્કો નીકળી ગયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા ઉપટી પડ્યા હતા.