વડોદરાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી દૈનિક કેસો 1400ને પાર થઈ ગયા છે. ત્યારે ગુજરાતમાં સુરત, અમદાવાદ અને રાજકોટ પછી કોરોનાનું સૌથી વધુ સંક્રમણ વડોદરામાં છે. ત્યારે વડોદરા પોલીસ કમિશ્નર આર.બી. બ્રહ્મભટ્ટે જાહેરનામું બહાર પાડી વડોદરામાં કલમ 144 લાગું કરી દીધી છે.
આગામી 27 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર સુધી વડોદરામાં 144 કલમ લાગી રહેશે. વડોદરામાં સભા, રેલી, સરઘસ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ કલમ લાગુ થયા પછી 4 કરતા વધુ વ્યક્તિ ભેગા નહિ થઈ શકે. કોરોનાના કેસ વધતા પોલીસ કમિશનરે આ નિર્ણય લીધો છે.
વડોદરા પોલીસ કમિશ્નર આર.બી. બ્રહ્મભટ્ટે જાહેરનામું બહાર પાડ્યું છે અને વડોદરામાં કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આગામી 27 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર સુધી વડોદરામાં 144 કલમ લાગુ કરવામાં આવી છે. વડોદરામાં સભા, રેલી, સરઘસ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ કલમ લાગુ થયા બાદ 4 કરતાં વધુ વ્યક્તિ ભેગા થઈ શકશે નહીં. કોરોનાના કેસ વધતા પોલીસ કમિશનરે આ નિર્ણય લીધો છે.
વડોદરા શહેરમાં હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં જાહેર સલામતી તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચાર કરતા વધારે માણસો ભેગા થાય નહીં અને કોઈ સભા, સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકવા માટે આગામી 27 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર સુધી વડોદરામાં 144 કલમ લાગુ કરવામાં આવી છે. આ જાહેરનામુ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેવી વ્યક્તિઓ તથા હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધસરકારી એજન્સી જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેઓને લાગુ પડશે નહીં.
ગુજરાતના કયા મોટા શહેરમાં પોલીસ કમિશ્નરે લાગુ કરી કલમ 144? જાણો કેમ લેવો પડ્યો આ નિર્ણય?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Sep 2020 07:47 AM (IST)
ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી દૈનિક કેસો 1400ને પાર થઈ ગયા છે. ત્યારે ગુજરાતમાં સુરત, અમદાવાદ અને રાજકોટ પછી કોરોનાનું સૌથી વધુ સંક્રમણ વડોદરામાં છે

- - - - - - - - - Advertisement - - - - - - - - -