ઘોઘમ્બાઃ પંચમહાલમાં વધુ એક પ્રેમપ્રકરણમાં હત્યાની ઘટના સામે આવી છે. બંને પ્રકરણમાં પ્રેમપ્રકરણમાં હત્યા કરાવી નાંખી છે. મળતી વિગતો પ્રમાણે, ઘોઘમ્બાના ગુણેશિયા ગામે પત્નીના પ્રેમીને પતિએ મોતને ઘાટ ઉતારી દીધો હતો. પત્નીને પ્રેમી સાથે રંગરેલિયા માણતા જોઇ ગયેલા પતિએ પત્નીના પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. 


પત્નીના પ્રેમી એવા રાજસ્થાનના યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યા કરી હોવાનું છૂપાવવા યુવકના મૃતદેહને ગળે પટ્ટી બાંધી ફેંકી કૂવામાં દીધો હતો.બે દિવસ અગાઉ કુવામાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. દામાવાવ પોલીસે બે વ્યક્તિઓ સામે  હત્યાનો ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.


 અન્ય ઘટનાની વાત કરીએ તો ગોધરાના ધોળાકુવા ગામના યુવાનની આડાસંબંધને લઈને હત્યા થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતક યુવાનની પત્ની અને તેના પ્રેમીએ મળી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે યુવાનના મૃતદેહને રિક્ષામાં લાવી રિક્ષાને પલ્ટી ખવડાવી હત્યારો પ્રેમી ફરાર થઈ ગયો હતો. યુવાનના ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો હતો. જોકે, પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલીને પત્ની અને પ્રેમીની ધરપકડ કરી છે. 



આ અંગે મળતી વિગતો પ્રમાણે, ધોળાકુવાના રાજેશ માવીના સુરેખા સાથે લગ્ન થયા હતા. તેમજ આ લગ્નથી તેમને બે સંતાનો પણ છે. દોઢ વર્ષ પહેલા સુરેખા પાલનપુર ફળિયામાં રહેતા પીન્ટુ બારીયાના પ્રેમમાં પડી હતી. આ પ્રેમસંબંધ આગળ વધતા બંને આઠ મહિના પહેલા ઘરેથી ભાગી પણ ગઈ હતી. જોકે, સમાજના આગેવાનોએ સમાધાન કરાવી સુરેખાને પરત લઈ આવ્યા હતા અને ફરી તે રાજેશ સાથે રહેવા લાગી હતી. 


જોકે, સુરેખા અને પીન્ટુ હજુ પણ એકબીજાના પ્રેમસંબંધમાં ગળાડૂબ હતા. દરમિયાન રાજેશને માહિતી મળી હતી કે, પત્ની પ્રેમીને મળવા માટે પથ્થરની ફેક્ટરી પાસે ગઈ છે. જ્યાં પહોંચેલા રાશેને પીન્ટુએ ગળે છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને પછી રીક્ષા પલટતા મોત થયું હોવાનું તરકટ રચ્યું હતું. જોકે, પોલીસ તપાસમાં હત્યા થઈ હોવાનું ખૂલ્યું હતું અને તે દિશામાં તપાસ કરતાં પત્નીનું પ્રેમપ્રકરણ ખુલી ગયું હતું. તેમજ પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દિધો હોવાનો ખુલાસો થયો હતો.