લુણાવાડઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે મહીસાગર જિલ્લા માટે માઠા સમાચાર આવ્યા છે. આજે વધુ કોરોનાના આઠ કેસ નોંધાયા છે. તેમજ એક વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું છે. આ આઠ કેસોની વાત કરીએ તો સંતરામપુરમાં 4, લુણાવાડામાં 1, કડાણામાં 2 અને ખાનપુરમાં એક કેસ નોંધાયો છે. આમ, જિલ્લામાં વધુ 8 કેસ સામે આવતા કુલ આંક 94એ પહોંચ્યો છે. તેમજ જિલ્લામાં કુલ બે લોકોના મોત થયા છે. સંતરામપુર -4 ૧) 22 વર્ષીય મહિલા ૨) 38 વર્ષીય પુરુષ ૩) 40 વર્ષીય પુરુષ ૪) 40 વર્ષીય પુરુષ લુણાવાડા-1 ૧) 22 વર્ષીય પુરુષ કડાણા-2 ૧) 24 વર્ષીય મહિલા ૨) 25 વર્ષીય પુરુષ ખાનપુર 1 ૧) 22 વર્ષીય પુરુષ