વડોદરાઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. બીજી લહેરમાં કોરોનાએ ગ્રામીણ વિસ્તારોને પોતાની ઝપેટમાં લઈ લીધા છે, જેને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણની સાતે મૃત્યુનું પ્રમાણ પણ વધુ છે. ત્યારે રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા મારું ગામ, કોરોના મુક્ત ગામ નામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જોકે, કોરોના સેન્ટર શોભાના ગાંઠિયા સમાન હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે. 


વડોદરાના સોખડા ગામે કોવિડ સેન્ટર ઉભું કરાયું છે.  સોખડા ગામના જુના બાલ મંદિર ખાતે 10 બેડ ઉભા કરાયા છે. જોકે, એક પણ દર્દી આઇસોલેશન માટે નથી. ગામની 12500ની વસ્તીમાં 30 કોવિડ પોઝિટિવ છે. અત્યાર સુધી એક જ દર્દી કોવિડ સેન્ટર આવી તેની હાલત ગંભીર બનતા અન્ય જગ્યાએ ખસેડાયા છે. કોવિડ સેન્ટરમાં નર્સ, ડોક્ટર, ઓક્સિજન કે વેન્ટિલેટર નથી. શોભના ગાંઠિયા જેવા કોવિડ સેન્ટર ગામે ગામ ઉભા કરાયા છે. 


આ અભિયાન અતંર્ગત વડોદરાના તલસટ ગામમાં કહેવા પૂરતું કોવિડ સેન્ટર ઉભું કરાયું છે. 10 બેડનું કોવિડ કેર સેન્ટર પ્રથમિક શાળામાં શરૂ કરાયું છે. જોકે, કોવિડ સેન્ટરમાં ડોક્ટર, નર્સ,  ઓક્સિજન કે વેન્ટિલેટર નથી. ગામના સરપંચે ખર્ચો કરી 10 બેડની વ્યવસ્થા કરી, પણ સરકાર તરફથી કોઈ જ વ્યવસ્થા નથી. ગામની 1200ની વસ્તીમાં 25 પોઝિટિવ કેસ છે. કોઈ જ ગ્રામજન કોવિડ સેન્ટરમાં આઇસોલેટ થવા તૈયાર નથી.  રાજ્ય સરકારના મારુ ગામ  કોરોના મુક્ત ગામનો ફિયાસ્કો થયો છે. 


રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ હવે ઘટી રહ્યા છે તો સામે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 11,592 કેસ નોંધાયા છે. જેની સામે 14,931 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 117 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8511  પર પહોચ્યો છે. 


રાજ્યમાં આજે 14931  લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,47,935 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,36,158 પર પહોંચ્યો છે. જેમાંથી 792 લોકો વેન્ટિલેટર પર અને 1,35,366 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 79.11   ટકા છે.  


ક્યાં કેટલા મોત થયા ? 


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 19,  સુરત કોર્પોરેશન-8,  વડોદરા કોર્પોરેશન 7,  મહેસાણામાં 4, વડોદરા 5,    જામનગર કોર્પોરેશમાં 8, રાજકોટ કોર્પોરેશન 5,  જૂનાગઢ 5, સુરત 3,  બનાસકાંઠા 2,  પંચમહાલ 1, રાજકોટ 6, દાહોદ 1, કચ્છ 4, જામનગર 6, જૂનાગઢ કોર્પોરેશન 3,   ભાવનગર કોર્પોરેશમાં 4, ગીર સોમનાથમાં-2, અમરેલી 2, મહીસાગર 1, ખેડા 2, આણંદ 0, સાબરકાંઠા 3, ગાંધીનગર 0, પાટણ 2, અરવલ્લી 0, ભાવનગર 0, વલસાડ 0,  ગાંધીનગર કોર્પોરેશન 1, ભરૂચ 2, સુરેન્દ્રનગર 2,  નવસારી-0, નર્મદા 1,   દેવભૂમિ દ્વારકા-2, છોટા ઉદેપુર 2,  અમદાવાદ 1, મોરબી 0, બોટાદમાં 1, પોરબંદર 1, તાપી 1 અને ડાંગ 0 મોત સાથે કુલ 117 લોકોના મૃત્યુ થયા છે.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3194,  સુરત કોર્પોરેશન-823,  વડોદરા કોર્પોરેશન 751,  મહેસાણામાં 507, વડોદરા 479,    જામનગર કોર્પોરેશમાં 333, રાજકોટ કોર્પોરેશન 319,  જૂનાગઢ 284, સુરત 269,  બનાસકાંઠા 266,  પંચમહાલ 254, રાજકોટ 253, દાહોદ 246, કચ્છ 244, જામનગર 232, જૂનાગઢ કોર્પોરેશન 230,   ભાવનગર કોર્પોરેશમાં 214, ગીર સોમનાથમાં-200, અમરેલી 183, મહીસાગર 181, ખેડા 164, આણંદ 157, સાબરકાંઠા 156, ગાંધીનગર 152, પાટણ 151, અરવલ્લી 133, ભાવનગર 124, વલસાડ 123,  ગાંધીનગર કોર્પોરેશન 117, ભરૂચ 115, સુરેન્દ્રનગર 113,  નવસારી-108, નર્મદા 90,   દેવભૂમિ દ્વારકા-87, છોટા ઉદેપુર 81,  અમદાવાદ 69, મોરબી 67, બોટાદમાં 38, પોરબંદર 38, તાપી 35 અને ડાંગ 12  કેસ સાથે કુલ  11592 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. 


 


 કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,03,94,150  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 33,55,185  લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,37,49,335 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 29,817 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 35,180 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,32,466 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.