પંચમહાલઃ લુણાવાડા હાઈવે પર અંબાજી પગપાળા ચાલીને જતાં ત્રણ યુવકોને કારે અડફેટે લેતા મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Sep 2019 09:02 AM (IST)
ભાદરવી પૂનમ ભરવા અંબાજી પગપાળા ચાલીને જતાં ત્રણ યુવકોને કારે અડફેટે લેતા મોત નીપજ્યા છે. હાલ, ત્રણેયના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા છે.
શહેરાઃ પંચમહાલના શહેરા લુણાવાડા હાઇવે પર આવેલ લાભી પાટીયા પાસે સ્વીફ્ટ કારે અંબાજી પગપાળા ચાલીને જતાં ત્રણ યુવકોને અડફેટે લેતા ત્રણેયના ઘટનાસ્થળે મોત થયા છે. ઘટનાની જાણ એમ્બ્યુલન્સને કરતા ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્રણેયના મોત થયા છે. આ અંગેની મળતી વિગતો એવી છે કે, દેવઘઢ બારીયા તાલુકાના ભુતપગલા અને સીંગવડા તાલુકાના ચુંદડીના પરબીયા ગામના ભક્તો ભાદરવી પૂનમ ભરવા માટે પગપાળા ચાલીને અંબાજી જઈ રહ્યા હતા. દરમિયાન લુણાવાડા હાઈવે પર પૂરપાટ આવતી સ્વીફ્ટ કારે અડફેટે લેતા શૈલેષ સોમાભાઈ બારીયા (ઉ.વ. ૨૫, ગામ : ભુતપગલા, તા.દેવગઢબારીયા,જી.દાહોદ ), અશ્વિન કનકસિંહ બારીયા (ઉ.વ. ૨૬, ગામ : ભુતપગલા) અને કમલેશ રમણભાઈ પટેલ (ઉ.વ. ૧૮, ગામ : પરબીયા, તા.મોરવા હડફ,જી.પંચમહાલ)ના મોત થયા છે. લાભી પાટીયા પાસે સ્વીફ્ટ કારે અકસ્માત સર્જ્યો હતો.