વડોદરાઃ દરજીપુરા એરફોર્સ પાસે અકસ્માતમાં 10  લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 8 લોકો ઘાયલ થયા છે.  ટ્રેલર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. દરજીપૂરા એરફોર્સની દિવાલમાં ટ્રેલર ઘૂસી ગયું હતું. ફાયર બ્રિગેડે કામગીરી હાથ ધરી છે. હાલ કોઈ જાનહાનિ ની માહિતી નહીં. 


સુરતથી અમદાવાદ તરફ જતી કન્ટેનરે ફોર્ડ ફિગો ગાડીને ટક્કર મારી રોંગ સાઈડ કન્ટેનર ઘૂસતા સામેથી આવતી રીક્ષાને ટક્કર મારી એરફોર્સની દીવાલ તોડી અંદર ઘુસ્યું હતું. દેવઘડ બારીયાના વાંદર ગામનો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો. ડાયાલિસીસી માટે વાઘોડિયાની પારુલ હોસ્પિટલ જઈ રહ્યા હતા. ઘટના સ્થળે 3ના મોત નીપજ્યા હતા. જ્યારે સયાજી હોસ્પિટલમાં 2ના મોત થયા છે. 


Gujarat News: ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેરા ગામે નવરાત્રી દરમિયાન પથ્થરમારાની ઘટના બની છે. નવરાત્રીના તહેવારમા ગરબા રમવા બાબતે એક સમુદાયના 150 થી 200 લોકોના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો  છે. તુળજા માતાના મંદિર પાસે અંદાજે 300 જેટલા ગરબા રમી રહેલા લોકો પર પથ્થરમારો કરાયો. માતર પોલીસ,ખેડા LCB, SOG ની ટીમ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.


ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યાં

પથ્થરમારાની ઘટના માં 6 થી 8 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા છે. ઘટનાના પગલે ખેડા ડીએસપી રાજેશ ગઢીયા, ખેડા Dysp વી.આર.બાજપાઈ , માતર મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉંઢેરા ગામે દોડી આવ્યા હતા અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.


પથ્થરમારામાં બે પોલીસકર્મી ઘાયલ



પોલીસની હાજરીમાં  કરવામાં આવેલા પથ્થરમારા માં બે જેટલા પોલીસ જવાન ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકનો કહેવા મુજબ, અહીંયા ગરબા નહીં રમવાના તેમ કહી પથ્થરમારો કરાયો હતો.


સાવલીમાં પણ પથ્થરમારો


ગુજરાતના વડોદરામાં ગરબા બાદ બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જે બાદ તંગદિલીનો માહોલ સર્જાયો છે. ઘટના સાવલીની છે જ્યાં બે જૂથના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો, જેની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘણા લોકોની અટકાયત કરી હતી. સાથે જ આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.