મૃતક ગોપાલ કાબરાની પત્ની કંચન ગુજરાતની ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં જાણીતું નામ છે. વડોદરાના બિલ્ડર ક્રિષ્ણા સોમાણી સાથે ગોપાલના ધંધાકિય સંબંધ હતા અને તેના કારણે બંને પરિવાર નજીક હતા. એ દરમિયાન કંચનને કૃ।ણ ,માણી સાથે સંબંધ બંધાયા હતા.
કંચન સાથે પતિના સંબંધની જાણ કૃષ્ણની પત્ની નમ્રતાને થતાં એક વર્ષ પહેલાં હરિદ્ધાર ફરવા ગયા ત્યારે ઝઘડો થયો હતો. કંચનને પતિથી દૂર રહેવા નમ્રતાએ ચેતવણી આપી હતી. બીજી તરફ ગોપાલને પણ બંને વચ્ચેના આડાસંબંધની શંકા જતાં તે પણ કૃષ્ણના ધંધામાં વિઘ્ન ઉભાં કરવા માંડ્યો હતો.
કૃષ્ણે તેનો કાંટો કાઢવા માટે હત્યાનો પ્લાન ઘડ્યો હતો અને 10 કરોડ રૂપિયાના હીરાની લાલચ આપીને ફસાવ્યો હતો. હીરા લેવાની લાલચમાં ગોપાલ ઘૂલિયા ગયો હતો. અહીં કૃષ્ણ તથા તેના સાથીઓએ ગોપાલની હથોડા મારી હત્યા કરી નાંખી હતી અને પછી ફરાર થઈ ગયા હતા.