વડોદરાઃ વડોદરા પાસેના ગામની પરિણીતાને લગ્ન પહેલા પોતાના ગામના જ યુવક સાથે પ્રેમસંબંધ હતા. લગ્નના દોઢ વર્ષ પછી પણ યુવતીએ આ પ્રેમસંબંધ ચાલું રાખ્યા હતા. દરમિયાન યુવતીના પતિને પત્નીના લફરાની જાણ થતાં તે ચોંકી ઉઠ્યો હતો. તેમજ પત્નીને પ્રેમીને ઠાર કરવાનું નક્કી કરી લીધું હતું. 


પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, આણંદ જિલ્લાની યુવતીના દોઢ વર્ષ પહેલા વડોદરાના યુવક સાથે લગ્ન થયા હતા. યુવતીને લગ્ન પહેલા ત્રણ વર્ષથી ગામના જ યુવક સાથે પ્રેમસંબંધ હતા. જોકે, લગ્ન પછી પણ યુવતીએ પ્રેમસંબંધ ચાલું રાખ્યા હતા.  


દરમિયાન પતિને પત્નીના પ્રેમસંબંધની જાણ થઈ ગઈ હતી. આથી તેણે પ્રેમીને મારી નાંખવાનું નક્કી કરી લીધું હતું. પતિએ ગત 2 જૂને પત્નીના પ્રેમીને ફોન કરીને મળવા પોતાના ઘરે બોલાવ્યો હતો. આથી યુવક પોતાના મિત્ર સાથે પ્રેમિકાના ગામ ગયો હતો. પ્રેમિકાના ઘર પાસે પહોંચતા પ્રેમી તેના ઘરમાં ગયો હતો. જ્યારે તેનો મિત્ર ઘર નજીક ઉભો રહ્યો હોત. 


યુવક પ્રેમિકાના ઘરે પહોંચતા પ્રેમિકાના પતિએ પત્નીના ફોટા માંગતા બંને વચ્ચે મામલો ગરમાયો હતો. જેમાં આવેશમાં આવીને પતિએ પત્નીના પ્રેમીને માથામાં લાકડી મારી લોહીલૂહાણ કરી નાંખ્યો હતો. બીજી તરફ પત્નીએ પણ પ્રેમીને ઝેરી દવા પીવડાવી ઘરની બહાર કાઢી મૂક્યો હતો. 


બીજી તરફ યુવક પરત ન ફરતા મિત્રએ ફોન કર્યો હતો. આથી યુવક લોહીલૂહાણ હાલતમાં મિત્ર પાસે પહોંચ્યો હતો. લોહીથી લથબથ થયેલા મિત્રને જોઇ તેણે 108 બોલાવી મિત્રને ગોત્રી હોસ્પિટલ લઈ ગયો હતો. જોકે, અહીં તેને મૃત જાહેર કરાયો હતો. મિત્રનું મોત થતાં યુવકે નંદસેર પોલીસ સ્ટેશનમાં હત્યારા પતિ-પત્ની સામે ગુનો નોંધાવાતા પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


Surat : લગ્ન પ્રસંગે આવેલી સગીરા પર યુવકે વારંવાર ગુજાર્યો બળાત્કાર, બે દિવસ સુધી સગીરા રહી બેભાન ને.......


સુરત : શહેરના અમરોલી વિસ્તારમાં કાકાને ત્યાં લગ્ન પ્રસંગે આવેલી સગીરાને અવાવરું જગ્યાએ લઈ જઈ વારંવાર બળાત્કાર ગુજારવાના ગુનામાં કોર્ટે આરોપીને 10 વર્ષની કેદ ફટકારી છે. કેફી પીણું પીવડાવી સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને 10 વર્ષની સખત કેદની સજા કોર્ટે ફટકારી છે.


આરોપી રણજીત સિકંદર સિંહને 10 વર્ષની કેદની સજા ફટકારી છે. અમરોલી સાયણ રોડ પર અવાવરું જગ્યા પર દુષ્કર્મ આચર્યું હતું. વારંવાર દુષ્કર્મ આચરતા સગીરા 2 દિવસ બેભાન રહી હતી. ગત 25 મે 2019 ના રોજ લગ્ન પ્રસંગે કાકાને ત્યાં સગીરા આવી હતી.