વડોદરાઃ શહેરના સમા વિસ્તારમાં માતા પુત્રીના શંકાસ્પદ મોત થયા હોવાનું સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ચંદન પાર્ક સોસાયટીમાં આ ઘટના બની છે. 35 વર્ષની માતા અને 6 વર્ષની પુત્રીનું મોત થયું છે. બે માળના મકાનમાં મોત થયં છે. પરીવાજનો જ બંન્નેને લઈ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં બંનેને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. 



આ અંગેની વિગતો એવી છે કે, 35 વર્ષની માતા શોભના અને 5 વર્ષની પુત્રી કાવ્યાનું મોત નીપજ્યું છે. બંનેના મૃતદેહ પીએમ રૂમમાં રાખવામાં આવ્યા છે. એસીપી ભરત રાઠોડે નિવેદન આપ્યું હતું કે, હાલમાં બંને માતા પુત્રીના શંકાસ્પદ મૃતદેહો મળ્યા છે. પીએમ બાદ જ મોતનું કારણ સામે આવશે. મહિલાના પતિની પોલીસે અટકાયત કરી છે. મૃતક મહિલાનો પતિ ઘર જમાઈ તરીકે રહેતો હતો.


જ્યારે જામનગરમાં જામજોધપુરના સડોદર ગામે પતિએ પત્ની અને માસુમ પુત્રને પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી. બંનેને સારવાર માટે જી.જી. હોસ્પિટલ જામનગર ખસેડાયા હતા. પુત્ર રડતો હોવાથી તને સાચવતા આવડતું નથી તેમ કહી તકરાર કરી માતા પુત્ર ઉપર પેટ્રોલ છાંટી હત્યાનો પ્રયાસ કરી ફરાર થયો છે.  દાહોદનો મારવાડી પરિવાર ખેત મજુરી કામ માટે આવ્યો હતો અને  સડોદર ગામે ઝૂંપડું બાંધી રહે છે. ગઈ રાતની ઘટના છે.


Dwarka : સંબંધીને ત્યાં આવેલા દીકરી-માતા અને દાદીએ એક સાથે આપઘાત કરી લેતા ખળભળાટ



દ્વારકાઃ ભાણવડના ગાયત્રી નગરમાં એક સાથે ત્રણ મહિલાએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. દીકરી, માતા અને દાદીએ એક સાથે આપઘાત કરી લીધો છે. ત્રણેય મહિલાઓ થોડા દિવસ પહેલા ભાણવડ તેમના સબંધીને ત્યાં આવ્યા હતા. આજે વહેલી સવારે દવા પી આપઘાત કર્યો.


પોલીસે તપાસ હાથ ધરી છે. ત્રણેય મહિલાઓ જામનગર રહેતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આપઘાતના બનાવથી જીલ્લામાં ચકચાર મચી ગયો છે. મહિલાઓએ ઝેરી દવા પી લેતા 3 ના મોત થયા છે. ગાયત્રી નગર કબ્રસ્તાન પાસેના વિસ્તારમાં દીકરી, માતા અને દાદીએ સજોડે આપઘાત કર્યો છે. મૂળ જામનગરના રહેવાસી ભાણવડ આવ્યા હતા. અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મોત થયું છે. 


1- સાહિસ્તા ઉર્ફે સોનુ નૂરમામદ શેખ ઉ. 18
2- જેનમબાનું કાસમ ખાન સરવણીયા પઠાણ, ઉ. 63 
3- નૂરજાબાનું નૂરમામદ  શેખ, ઉ. 42